Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : સચીન દિક્ષિતે શિવાંશની માતા અને પોતાની પ્રેમિકા મહેંદીની કરી હત્યા

સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર શિવાંશ પ્રકરણમાં જેનો ડર હતો તે જ સામે આવ્યું છે.

X

સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર શિવાંશ પ્રકરણમાં જેનો ડર હતો તે જ સામે આવ્યું છે. સચીને પોતાની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું છે. મહેંદીએ સચીનને પોતાની પત્ની અને માતાપિતા પાસે જતો રોકતાં આવેશમાં આવી સચિને તેની હત્યા કરી હતી અને શિવાંશને ગૌશાળાની બહાર ત્યજીને ફરાર થઇ ગયો હતો.

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી સાત ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક મળી આવ્યો હતો. બાળકના વાલીવારસોને શોધવા માટે પોલીસે આકાશ-પાતાળ એક કરી નાંખ્યાં હતાં. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ બાળક પાસે સતત હાજર રહયાં હતાં. 20 કલાકની જહેમત બાદ પોલીસે આ બાળકના પિતા સચિન દિક્ષિત હોવાનું શોધી કાઢયું હતું. સચીન દિક્ષિત વડોદરાની એક કંપનીમાં ફરજ બજાવતો હતો અને તેણે જ પેથાપુરની ગૌશાળા પાસે બાળકને છોડી દીધો હતો. પોલીસ સચિન અને તેની પત્ની અનુરાધાને રાજસ્થાનના કોટાથી ગાંધીનગર લઇ આવી હતી. જયાં સચિનની આકરી પુછપરછ કરવામાં આવતાં તે પડી ભાંગ્યો હતો અને પોતાના તથા હીના ઉર્ફે મહેંદીના સંબંધોની કબુલાત કરી હતી.

શિવાંશનો જન્મ અનુરાધા નહી પણ મહેંદીની કુખે થયો હતો. સચિન મહેંદી સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતો હતો. સપ્તાહમાં પાંચ દિવસ તે વડોદરા અને બે દિવસ ગાંધીનગર તેના પત્ની અને માતા-પિતા સાથે રહેતો હતો. રાજસ્થાનના કોટામાં સામાજીક પ્રસંગ હોવાથી સચિન ત્યાં પત્ની અનુરાધા અને પરીવાર સાથે હાજરી આપવા જવાનો હતો. આ વેળા મહેંદીએ સચિનને તેની સાથે રહેવાની જીદ કરી હતી. જયાં મહેંદી અને સચિન વચ્ચે ઝગડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલાં સચિને ગળુ દબાવીને મહેંદીની હત્યા કરી નાંખી હતી. તેના મૃતદેહને બેગમાં પેક કરી રસોડામાં મુકી સચિન શિવાંશ સાથે કારમાં વડોદરાથી ગાંધીનગર આવવા રવાના થઇ ગયો હતો. શિવાંશને પોતાની સાથે રાખવો ન પડે તે માટે તેણે તેને પેથાપુર પાસે છોડી દીધો હતો.આમ રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલાં કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસને વડોદરાના બાપોદ જકાતનાકા પાસે આવેલાં ફલેટમાંથી મહેંદીનો મૃતદેહ પણ મળી આવ્યો છે.

Next Story