ગીર સોમનાથ: હત્યાને હીટ એન્ડ રનમાં ખપાવવાનો પ્રયાસ, સગીરે ગર્લ્ડફ્રેન્ડ સાથે મળી બહેનને હેરાન કરતા યુવાનને પતાવી દીધો !

ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update

ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment W3.CSS
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્ટેટ હાઇવે પર તા 06 સપ્ટેમ્બરની સાંજે સાતેક વાગ્યે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના 22 વર્ષીય યુવકને પાછળથી બોલેરો પીકઅપ વાન દ્વારા ઠોકર મારતાં એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ જાય છે અને બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છૂટે છે. ઇજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવે છે. જ્યાં ફરજ પરના તબીબ યુવકને મૃત જાહેર કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગે છે, પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ LCB દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે, આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો આખો ગુન્હાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલ્યા આવતા હતા. મૃતક યુવક સુરેશ આરોપીની બેનને હેરાન કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
મૃતક સુરેશ પ્રેયસીને મળવા ઉમરેથી ગામથી તાલાલા તરફ એક્ટિવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે આરોપી બોલેરો કાર લઈ નીકળ્યો અને ઘુસિયા ગામ નજીક ઇમાનપીર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરજસ્ત ઠોકર મારી નાશી ગયો હતો. આરોપીએ આ ઘટના અકસ્માતમાં ખપી જાય અને પોતે સુરક્ષિત રીતે પોતાના મનમાં રહેલી ખુન્નસને પાર પાડશે તેવું વિચારી અકસ્માત સર્જી રાજકોટ તરફ ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીને તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં