ગીર સોમનાથ : કુદરતી આફતો વચ્ચે કેરીના પાકને અસર, આંબે કેરી જોવા મળી તો ક્યાક માત્ર ફૂલો જ આવ્યા..

ગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે.

New Update
ગીર સોમનાથ : કુદરતી આફતો વચ્ચે કેરીના પાકને અસર, આંબે કેરી જોવા મળી તો ક્યાક માત્ર ફૂલો જ આવ્યા..

ગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે. જેથી એક તરફ ખેડૂતોમાં ખુશી છે, તો બીજી તરફ તેઓને ભયની લાગણી સતાવી રહી છે.

Advertisment W3.CSS

ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગરમ વિસ્તારોમાં આંબાના વૃક્ષ પર ખાખડી એટલે કે, નાની કેરીઓ આવી રહી છે. તો ઠંડા વિસ્તારમાં આંબાના વૃક્ષ પર હજુ ફલાવરિંગ આવી રહ્યું છે. આવી અચરજ ભરી ઘટના ગ્લોબલ વોર્મિંગના કારણે બની રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગીર-ગઢડા અને ઉના તાલુકા કરતા કોડીનાર અને તાલાળા વિસ્તારમાં તાઉતે વાવાઝોડા બાદ સ્થિતિ ઘણી સારી છે. વાવાઝોડાએ ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં તો આંબાઓને મૂળ સમેત ઉખાડીને ફેંકી દીધા હતા. તો બીજી તરફ તાલાળા અને કોડીનાર વિસ્તારમાં આંબાઓની માવજત કરવાથી હાલ તેમાં ફલાવરિંગ પણ આવી રહ્યું છે. હવે કુદરત મહેરબાન થાય અને વાતાવરણની વિષમતા ન આવે તો આગામી એપ્રિલ માસમાં કેસર રસિકોને કેરી ખાવા મળશે તેવું ખેડૂતોએ જણાવ્યુ હતું.

જોકે, આંબાના કેટલાક બગીચાઓમાં ખાખડી આવી ગઈ છે, ત્યારે ખેડૂતો અને ઈજારદારોમાં ખુશી જોવા મળી છે. પરંતુ આ સાથે ભય પણ છે કે, "જો વાતાવરણ બદલાય, કમૌસમી વરસાદ અને વધુ પડતી ઝાંકળ પડે તો આંબે આવેલી ખાખડી પણ ખરી પડે તેમ છે. વાતાવરણ જો સ્થિર રહે તો આગામી એપ્રિલ માસની શરૂઆતમાં કેસર કેરી બજારમાં આવતી થશે. પરંતુ ઝાંકળ વધશે તો ખાખડી ખરી જવાની પૂર્ણ સંભાવના વર્તાય છે. આમ પણ આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાનું ખેડૂતો આંકી રહ્યા છે. જોકે, કેસર રસિકોને કેરી ખાવા તો મળશે, પરંતુ તેની કિંમત વધુ ચૂકવવી પડશે તે વાત નક્કી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો

New Update
kavi

ભરૂચના જંબુસર તાલુકાના કલિયારી અને દહેરી ગામ વચ્ચે વૃક્ષ નીચેથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisment W3.CSS
ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ પ્રતાપ પુના રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસેમૃતદેહનો કબજો મેળવી તેને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.યુવાનનું મોત કઈ રીતે નીપજ્યું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
Latest Stories