ગીર સોમનાથ: ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધ વચ્ચે તંત્ર દ્વારા લોકોને કાયદા અંગેની સમજ અપાય

વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે.

New Update

ગીર સોમનાથ જિલ્લામાં વિરોધ

ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ નોંધાવાયો

તંત્ર દ્વારા લોકોને સમજ આપવાનો પ્રયાસ

કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય

ખેડૂતોને કોઈ નુકશાન ન હોવાનો મત

ગીર વિસ્તારમા ઇકો  સેન્સટિવ ઝોનનો પ્રચંડ વિરોધ નોંધાયો છે.તો બીજી તરફ હવે વન વિભાગ દ્વારા પણ કવાયત શરૂ કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી કાયદા અંગે સમજ આપવામાં આવી હતી
ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોનનો વિરોધ કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા જોરશોરથી કરવામાં આવી રહ્યો છે જેને લઈ હવે વન વભાગ હરકતમા આવ્યું છે અને આખરે વન વિભાગે પણ ઇકો ઝોન લાગુ કરવા રણનીતિ બનાવી છે.વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે. ઇકો ઝોનના આવવાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહિ પડે.
અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના 196 ગામોનો ઇકો ઝોનમાં સમાવેશ થયો છે.કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખી લડત ચલાવી રહ્યું છે.તો રાજકીય પક્ષોએ પણ આ વિવાદમા ઝંપલાવ્યું છે.વન વિભાગનુ કેહવું છે  કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ ફરક નહીં પડે. કારણ કે ગૃહ ઉદ્યોગ, તબેલા,મકાન બનાવવા અને ડેરી ખોલવા સહિતના તમામ વસ્તુઓ માટે છૂટછાટ છે. પરંતુ ખનન કરવું અને મોટા ઉદ્યોગો નહિ કરી શકાય જેથી ખેતી કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ અસર નથી.
એક તરફ કિસાન સંઘ ગામડે ગામડે જઇ ખેડૂતોને એક કરી રહ્યું છે તો હવે વન વિભાગ અને તંત્ર પણ ગામડે ગામડે જઈ ગ્રામસભા યોજશે અને ઇકો ઝોનથી ખેડૂતોને કોઈ નુકશાન નથી અને ખોટી અફવાઓમાં ધ્યાન ન આપવા અપીલ કરશે.
Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.