ગીર સોમનાથ: ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધ વચ્ચે તંત્ર દ્વારા લોકોને કાયદા અંગેની સમજ અપાય

વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે.

New Update

ગીર સોમનાથ જિલ્લામાં વિરોધ

ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ નોંધાવાયો

તંત્ર દ્વારા લોકોને સમજ આપવાનો પ્રયાસ

કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય

ખેડૂતોને કોઈ નુકશાન ન હોવાનો મત

ગીર વિસ્તારમા ઇકો  સેન્સટિવ ઝોનનો પ્રચંડ વિરોધ નોંધાયો છે.તો બીજી તરફ હવે વન વિભાગ દ્વારા પણ કવાયત શરૂ કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી કાયદા અંગે સમજ આપવામાં આવી હતી
ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોનનો વિરોધ કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા જોરશોરથી કરવામાં આવી રહ્યો છે જેને લઈ હવે વન વભાગ હરકતમા આવ્યું છે અને આખરે વન વિભાગે પણ ઇકો ઝોન લાગુ કરવા રણનીતિ બનાવી છે.વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે. ઇકો ઝોનના આવવાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહિ પડે.
અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના 196 ગામોનો ઇકો ઝોનમાં સમાવેશ થયો છે.કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખી લડત ચલાવી રહ્યું છે.તો રાજકીય પક્ષોએ પણ આ વિવાદમા ઝંપલાવ્યું છે.વન વિભાગનુ કેહવું છે  કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ ફરક નહીં પડે. કારણ કે ગૃહ ઉદ્યોગ, તબેલા,મકાન બનાવવા અને ડેરી ખોલવા સહિતના તમામ વસ્તુઓ માટે છૂટછાટ છે. પરંતુ ખનન કરવું અને મોટા ઉદ્યોગો નહિ કરી શકાય જેથી ખેતી કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ અસર નથી.
એક તરફ કિસાન સંઘ ગામડે ગામડે જઇ ખેડૂતોને એક કરી રહ્યું છે તો હવે વન વિભાગ અને તંત્ર પણ ગામડે ગામડે જઈ ગ્રામસભા યોજશે અને ઇકો ઝોનથી ખેડૂતોને કોઈ નુકશાન નથી અને ખોટી અફવાઓમાં ધ્યાન ન આપવા અપીલ કરશે.
Read the Next Article

દાહોદ : ભાજપના નેતાની સ્કૂલમાં જ બાળકોના વાલીઓ લૂંટાયા, RTEના નિયમો વિરુદ્ધ 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે

New Update
  • દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા

  • ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ

  • નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ  

  • 80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી

  • PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એકબે નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.

આ સ્કૂલ બીજા કોઇની નહીંપણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.

એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતુંપરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.

આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતુંજેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.

ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની  સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.