ગીર સોમનાથ : આંબાના બગીચાઓમાં મધિયાનો રોગ વધ્યો, ખેડૂતોના માથે ચિંતાની લકીરો

ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.

New Update
ગીર સોમનાથ : આંબાના બગીચાઓમાં મધિયાનો રોગ વધ્યો, ખેડૂતોના માથે ચિંતાની લકીરો

ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.....

ગીર વિસ્તારમાં પ્રથમવાર 'મધિયો ' રોગ જોવા મળ્યો છે. કેસર કેરીનાં બગીચાઓમાં પાક ખીલવાનો આખરી તબ્બકામાં આવેલ મોરમાં હાલમાં નાની કેરીઓ બંધાયેલી છે.તાલાલાગીર સહિત સમગ્ર ગીર વિસ્તારમાં પથરાયેલ આંબા વાડીયાઓમાં કેસર કેરીનો પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે અને આંબાઓમાં મધિયો- તડતડીયો રોગ વધવા લાગતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નવેમ્બર માસથી આંબાઓમાં મોર ફુટવાની પ્રક્રિયા શરૂ થતાં ખેડુતોએ આંબામાં આવતાં રોગ મધિયો, ફૂગ, કથીરી જેવા રોગો સામે દવાનો છટકાવો કર્યો હતો. આ વર્ષે હિટવેવને લઈ મધિયો ઓછો થવો જોઈએ તેમની જગ્યાએ સાનુકુળ વાતાવરણને લીધે વધી રહ્યો છે. અને જેની સીધી અસર કેસરનાં પાકમાં પણ થઈ શકે છે જેની સીધી અસસાર બજારમાં કેસરના ભાવ પર પડી શકે છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories