ગીર સોમનાથ : પ્રાચી તીર્થના મોક્ષ પીપળાએ આજે ચૈત્રી શનિશ્વરી અમાસે ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર...

ચૈત્ર માસની શનિશ્ચરી અમાસનો અનેરો મહિમા, પ્રાચી તીર્થના મોક્ષ પીપળા ખાતે શ્રદ્ધાળુ ઉમટ્યા

New Update
ગીર સોમનાથ : પ્રાચી તીર્થના મોક્ષ પીપળાએ આજે ચૈત્રી શનિશ્વરી અમાસે ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર...

આજે ચૈત્ર માસની શનિશ્ચરી અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં આવેલ મોક્ષ પીપળા ખાતે આજે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આજના વિશેષ દિવસે અનેક ભાવિકોએ કોરોના કાળમાં ગુમાવેલા પોતાના સ્વજનો માટે પિતૃ કાર્ય કર્યું હતું. કહેવાય છે કે, પ્રાચી તીર્થમાં આવેલ મોક્ષ પીપળા ખાતે ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પૂર્વજોની મોક્ષ ગતિ માટે મોક્ષ પીપળા ખાતે પિતૃ કાર્ય કર્યું હતું.

શાસ્ત્રોના મતે કહેવાયું છે કે, 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, આ તીર્થની વિશેષતા એ છે કે, મોક્ષ પીપળાની સમીપમાં વહેતી સરસ્વતી નદી પૂર્વ વાહિની છે. જેથી નદીનો પ્રવાહ પૂર્વ દિશા તરફ ગતિ કરે છે. સાથે જ મોક્ષ પીપળાનું મહત્વ પણ ખૂબ અનેરું છે, ત્યારે આજે ચૈત્રી શનિશ્વરી અમાસે આ તીર્થમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ઉપરાંત સમગ્ર ચૈત્ર માસ દરમ્યાન પ્રાચી તીર્થમાં કોરોના કાળ બાદ 2.50 લાખથી વધુ ભાવિકોએ પિતૃ તર્પણ કરાવી પોતાના પિતૃઓને મોક્ષ ગતિ આપી મનની શાંતિ મેળવી હતી. પ્રાચી તીર્થના મોક્ષ પીપળે એક વખત જળ ચઢાવવાથી પોતાના તમામ પિતૃઓની મોક્ષ ગતિ થાય છે, તેવી પણ લોકોમાં શ્રધ્ધા છે.

Read the Next Article

મોડાસામાં આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જનસભાને કરી સંબોધિત,ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અરવિંદ કેજરીવાલે 'ખેડૂત પશુપાલક મહાપંચાયત'ને સંબોધતા કહ્યું હતું કે, '30 વર્ષ શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે.

New Update
Arvind Kejarival Modasa

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે મોડાસામાં આયોજિત'ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલભગવંત માનઇશુદાન ગઢવીગોપાલ ઇટાલિયાજામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવારાજુ સોલંકીસાગર રબારી સહિતનાAAP નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આપના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ખેડૂતો તથા પશુપાલકોના મુદ્દે સરકારને ઘેરી હતી.

અરવિંદ કેજરીવાલે'ખેડૂત પશુપાલક મહાપંચાયત'ને સંબોધતા કહ્યું હતું કે, '30વર્ષ શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે. ગુજરાતમાં દૂધના ભાવના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂતો-પશુપાલકોના પ્રદર્શન પર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો જેમાં એક ખેડૂતનું મોત થયું.14જુલાઈએ અશોક ચૌધરીનું દુઃખદ અવસાન થયું છતાં આ ભ્રષ્ટ સરકારે તમને તમારા હક ન આપ્યા.આ ભ્રષ્ટાચારીઓએ અશોકભાઈના પરિવારને વળતર તરીકે એક પણ પૈસો ન આપ્યો. જ્યારે આ લોકોને ખબર પડી કે અમે આવીએ છીએ એટલે બોનસ આપવાનું ખોટું એલાન કર્યું. પશુપાલકોને પોતાનો હક મળ્યો નથી અને એ હક માંગવા તેઓ ગયા હતાપણ તેમ છતાં તેમને તેમનો હક મળ્યો નહીં.

વધુમાં અવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત સભામાં તેઓ અને ભગવંત માન ઉપસ્થિત રહેશે. તેમણે ભાજપને ઘમંડી અને નિરંકુશ ગણાવીજે30વર્ષની સત્તાનું પરિણામ છે.

જ્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મહેલો બનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, 'ખેડૂત અને પશુપાલકોના મહેનતના અને હકના પૈસા ચોરી કરીને સી.આર. પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા જમીનો ખરીદી છે. તેમણે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કેઆપણા દેશને આઝાદ થયે75વર્ષ થઈ ગયા પછી પણ જો આપણે આજે'ખેડૂત પશુપાલક મહાપંચાયતકરવી પડે છે એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે.'

વધુમાં આ પ્રસંગે ઇશુદાન ગઢવીએ ભાજપને ચેતવણી આપતા જણાવ્યું કે, 'જ્યારે કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કર્યો ત્યારથી આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી આવ્યુંહવે ભાજપે ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કરીને એ જ ભૂલ કરી છે અને એનું પરિણામ2027માં ભાજપને ભોગવવું પડશે. તેમણે સાબર ડેરી ખાતે થયેલા અત્યાચારને ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના અહંકારનું એક ઉદાહરણ ગણાવ્યું હતું.