ગીર સોમનાથ: વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી રિજેક્ટ થતાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

મગફળી રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોએ મગફળીની ખરીદી રોકાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

New Update
ગીર સોમનાથ: વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી રિજેક્ટ થતાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

ગીર સોમનાથના વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગના ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોએ મગફળીની ખરીદી રોકાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સમગ્ર રાજ્યની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ છે ત્યારે મોટાભાગના ખેડૂતોની મગફળી ખૂબ જ નાના એવા માર્જીનથી રિજેક્ટ થઈ રહી હોય તેવો ખેડૂતોના આરોપ છે. ત્યારે વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજના દિવસમાં 32 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર બે જ ખેડૂતોની મગફળી ખરીદી હતી. મોટાભાગની મગફળી રિજેક્ટ થઈ રહી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે આ ઉપરાંત દૂરના ગામડામાંથી ભાડે ટ્રેક્ટર કરીને આવતા ખેડૂતોને ખરીદી પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ખેડૂતોની સમસ્યા એચએએલ ન થાય ત્યાં સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકાવવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.