ગીર સોમનાથ: માત્ર 60 કિ.મી.ના અંતરમાં ત્રણ ટોલનાકા બાબતે વિરોધ

સરકાર દ્વારા બિન જરૂરી ટોલનાકા હટાવવામાં નહીં આવે તો મહાદેવના ભક્તો માટે અને સામાન્ય જનતા માટે આપ નેતા પ્રવીણ રામે લડત લડવાની પણ તૈયારી દર્શાવી

New Update
  • ગીર સોમનાથમાં ટોલનાકા મુદ્દે રાજકીય ગરમાવો 

  • 60 કિ.મી.ના અંતરમાં ત્રણ ટોલનાકા હોવાનો આક્ષેપ 

  • આપ નેતાએ સરકાર પર લગાવ્યો પ્રજાને લૂંટવાનો આરોપ

  • ટોલનાકા નિયમ વિરુદ્ધ હોવાના આપ નેતાનો આક્ષેપ 

  • આપ નેતા સરકાર સમક્ષ કરશે ઉગ્ર રજૂઆત   

ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલનાકા બાબતે આમ આદમી પાર્ટીના નેતાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો,અને પ્રતિક્રિયા આપી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલનાકા બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી,સોમનાથ દાદાનાં ચરણોમાં શીશ ઝુકાવવા આવતા શ્રદ્ધાળુઓને લૂંટી લેવાનો ભાજપ પર આપ નેતા પ્રવિણ રામે ગંભીર આક્ષેપ કર્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે ભાજપ એક બાજુ મત લેવા ધાર્મિક વાતો કરે અને બીજી બાજુ મહાદેવના ચરણોમાં આવતા ભક્તોને ટોલનાકાના નામે લૂંટવાનું કામ કરી રહી છે.

આ ઉપરાંત તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરમાં ત્રણ ટોલનાકા નિયમ વિરુદ્ધ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતુ.અને બિન જરૂરી ટોલનાકા હટાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની તૈયારી તેઓએ દર્શાવી હતી.જો તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો મહાદેવના ભક્તો માટે અને સામાન્ય જનતા માટે આપ નેતા પ્રવીણ રામે લડત લડવાની પણ તૈયારી બતાવી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..