ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગીર ગઢડા-દ્રોણેશ્વર ગુરુકુળમાં અત્યાધુનિક છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું.

New Update
  • ગીર ગઢડામાં 51 ગામની દીકરીઓ માટે નવી શરૂઆત

  • દ્રોણેશ્વર ગુરુકુળમાં અત્યાધુનિક છાત્રાલયનું ખાતમુહૂર્ત

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

  • છાત્રાવાસ સાથે ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ થશે : મુખ્યમંત્રી

  • ઉદ્યોગપતિઓઆગેવાનોસંસ્થાના હરિભક્તોની ઉપસ્થિતિ

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ઉદ્યોગપતિઓરાજકીય આગેવાનો તેમજ સંસ્થાના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિસંસ્કારસદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ.જી.વી.પી.ગુરુકુળ ખાતે સંત માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કેદરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છેત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે.

આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં 51 ગામના 10 હજાર દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છેતે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છેતે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ મુખ્યમંત્રીએ હર્ષભેર જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા સહિત ઉદ્યોગપતિઓરાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સંસ્થાના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.