ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન, મુખ્યમંત્રીએ કર્યા શ્રી સોમનાથ મહાદેવના દર્શન

રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.

New Update
  • ગુજરાતની વિકાસયાત્રાને શિખર પહોંચાડવા ચિંતન-મંથન

  • રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન

  • શિબીર દરમ્યાન મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા કરાશે

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા શ્રી સોમનાથ મહાદેવના દર્શન

  • મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ

રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છેત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.

આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત 11મી ત્રિદિવસીય ચિંતન શિબીર સોમનાથ ખાતે શરૂ થવા જઈ રહી છેત્યારે આ ચિંતન શિબીરમાં રોજગારીની તકોગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિસરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચપ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન કરવામાં આવનાર છે.

ચિંતન શિબીરના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. આ અવસરે સોમનાથના ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત પ્રવાસન મંત્રી મુળુ બેરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફઆપ નેતા પ્રવિણ રામની ચીમકીના પગલે એસ.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેપ્રવીણ રામે મુખ્યમંત્રીને પત્ર લખી ઇકોઝોન તેમજ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે સમય માંગ્યો છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.