ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન, મુખ્યમંત્રીએ કર્યા શ્રી સોમનાથ મહાદેવના દર્શન

રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.

New Update
  • ગુજરાતની વિકાસયાત્રાને શિખર પહોંચાડવા ચિંતન-મંથન

  • રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન

  • શિબીર દરમ્યાન મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા કરાશે

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા શ્રી સોમનાથ મહાદેવના દર્શન

  • મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ

Advertisment

રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છેત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.

આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત 11મી ત્રિદિવસીય ચિંતન શિબીર સોમનાથ ખાતે શરૂ થવા જઈ રહી છેત્યારે આ ચિંતન શિબીરમાં રોજગારીની તકોગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિસરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચપ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન કરવામાં આવનાર છે.

ચિંતન શિબીરના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. આ અવસરે સોમનાથના ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત પ્રવાસન મંત્રી મુળુ બેરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફઆપ નેતા પ્રવિણ રામની ચીમકીના પગલે એસ.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેપ્રવીણ રામે મુખ્યમંત્રીને પત્ર લખી ઇકોઝોન તેમજ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે સમય માંગ્યો છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના વન વે માર્ગ પરથી ખાનગી બસચાલકોને પસાર થવા દેવા ટ્રાવેલ્સ એસો.ની કલેકટરને રજુઆત

માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં તંત્ર દ્વારા માર્ગ જાહેર કરાયો છે વન વે

  • ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ વન વે

  • ટ્રાવેલ્સ એસો.દ્વારા કલેક્ટરને કરાય રજુઆત

  • બસ ચાલકોને પસાર થવાની મંજૂરી આપવા માંગ

  • પાર્કિંગ પણ બનાવી આપવા માંગ કરાય

Advertisment
ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પરથી ખાનગી લકઝરી બસને પસાર થવા માટે મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પર માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રોડનું જે કામ ચાલે છે તે દરમ્યાન આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ માર્ગ સાંકડો હોવાથી બસચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
આ ઉપરાંત અકસ્માતનું જોખમ પણ રહેલુ છે.આ સાથે જ 30 કી.મી.નો વધારાનો ફેરાવો થાય છે જેના કારણે ઈંધણ અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન બસ ચાલકોને આ માર્ગ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Advertisment