ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભાવીકોને હવે, નહીં નડે આકરો તાપ અને વરસાદ...

શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મહાદેવના દર્શનનો અનેરો મહિમા, ભાવિકો વરસાદ અને આકરા તાપથી બચી શકે તેવું આયોજન

New Update
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભાવીકોને હવે, નહીં નડે આકરો તાપ અને વરસાદ...

આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવતા ભાવિકો માટે મંદિર પરિસરમાં અધ્યતન રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. જેથી લોકો શાંતિથી તડકો કે, વરસાદના વિઘ્ન વિના સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તેવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisment

કોરોના મહામારી બાદ સોમનાથ તીર્થમાં ભારે માત્રામાં ભાવિકોની સંખ્યા વધી રહી છે, ત્યારે સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવેશથી લઈ અને મંદિર પરિસર સુધી અધ્યતન પ્રકારની 20થી વધુ રાવટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે માત્રામાં જ્યારે સોમનાથમાં ભાવિકોની લાંબી કતારો લાગતી હોય છે, ત્યારે આગામી શ્રાવણ માસ નજીક હોય અને લોકો કતારોમાં ઊભા હોય ત્યારે વરસાદ કે, તડકો ભાવિકોને ન લાગે તે માટે અધ્યતન પ્રકારની ફાઈબરની 20થી વધુ રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. સોમનાથ આવનાર ભાવિકો શાંતિથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તેવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ઓમ ૐ નમઃ શિવાયના નાદથી સોમનાથ તિર્થ ભાવિકોથી ધમધમતું થાય તેવી ભક્તો પણ સોમનાથ દાદાને પ્રાર્થના કરી રહ્યા છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment