ગીર સોમનાથ : વેરાવળ સિનિયર સિટીઝન્સ ક્લબની અનોખી પહેલ, લોકોને 2 હજાર કાપડની થેલીનું વિતરણ કર્યું

વેરાવળ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવા સિનિયર સિટીઝન ક્લબે અનોખી પહેલ હાથ ધરી છે. આ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

New Update
  • વેરાવળમાં સિનિયર સિટીઝન્સ ક્લબ દ્વારા અનોખી પહેલ

  • પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • 2 હજાર કાપડની થેલીનું લોકોને વિનામુલ્યે વિતરણ કરાયું

  • કલેક્ટર અને પાલિકા પ્રમુખના હસ્તે પહેલનો પ્રારંભ કરાયો

  • લોકોને કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અપીલ કરાય

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવા સિનિયર સિટીઝન ક્લબે અનોખી પહેલ હાથ ધરી છે. આ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે જિલ્લા કલેક્ટર વી.એન.ઉપાધ્યાય અને નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાનીની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન ક્લબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં શહેર અને જિલ્લાના નાગરિકોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.

સિનિયર સિટીઝન ક્લબના સભ્યએ જણાવ્યું હતું કેપ્લાસ્ટિકની થેલીના બહિષ્કાર બાદ વિકલ્પની જરૂરિયાત ઉભી થઈ હતી. જેના પગલે ક્લબના તમામ વડીલોએ સહયોગ આપી કાપડની થેલીઓ તૈયાર કરાવી છે. તેઓએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ગીર સોમનાથ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

Read the Next Article

ગુજરાતમાં બ્રિજ તૂટવાનો સિલસિલો યથાવત,પુલ નિર્માણ અને જાળવણી પર ઉઠ્યા સવાલ

વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ 1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો.

New Update
bridgeee

વડોદરાના પાદરાની દુર્ઘટનાએ ગુજરાતમાં સર્જાયેલી બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓની દુઃખદ યાદને તાજી કરી દીધી છે. વર્ષ2022ની મોરબી બ્રિજ દુર્ઘટના હોય કે પછી 2021ની અમદાવાદની મુમતપુરા બ્રિજ દુર્ઘટના પાલનપુર માં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના પણ આવી જ ગોઝારી હતી.

વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો. વારંવાર રજૂઆત કરવા છતાં આ પુલની યોગ્ય મરામત કરવામાં આવી નહોતી. જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ અને અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સાથે જ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.

આ ઘટના બાદ એક વાત સાબિત થઈ છે કે ગુજરાતમાં પુલ તૂટવો એ સામાન્ય બની ગયું છે. ગુજરાતમાં અન્ય જગ્યાઓએ પણ આવી જ ગંભીર દુર્ઘટનાઓ બની ચુકી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પુલ તૂટી પડવાની પંદરથી વધુ ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું છે.

 # બ્રિજ દુર્ઘટનાની યાદી :

  • વર્ષ2023માં પાલનપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા ત્રણ લોકોના મોત થયા હતા.
  • વર્ષ2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડ્યો હતો.
  • વર્ષ2021માં અમદાવાદમાં નિર્માણાધીન શાંતિપુરા મુમતપુરા બ્રિજ પર પણ આવી જ દુર્ઘટના બની હતી.
  • મોરબીમાં બનેલી દુર્ઘટનાને આજ સુધી કોઈ ભુલાવી શક્યું નથી. મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા135ના મોત થયા હતા.
  • વર્ષ2023માં વઢવાણના વસ્તડી ગામમાં પૂલ તૂટી પડ્યો હતો.
  • જૂનાગઢના ધાંધુસરમાં જર્જરિત પુલ તૂટી પડ્યો હતો.
  • 2020માં રાજકોટના આજીડેમ ચોકડી પાસે પુલ તૂટી પડ્યો હતો.
  • 2019માં રાજકોટના સટોડક ગામ પુલ તૂટી પડ્યો હતો.
  • સુરતમાં ફ્લાયઓવર દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.

આ ઉપરાંત લુણાવાડાના હાંડોડ ગામનો પુલભરૂચમાં નંદેલાવ પુલ તૂટી પડ્યો હતોવડોદરાના સિંધરોટ પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. તો મહેસાણામાં ઊંઝા હાઈવે નજીક પણ આવી જ દુર્ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સર્જાયેલી બ્રિજ હોનારતો બાદ પણ નિંદ્રાધીન સરકારી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કે કાર્યવાહીના અભાવે નિર્દોષ લોકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર કૃપાદ્રષ્ટિનો ત્યાગ કરીને ભોગ બનનારના  પરિવાર તેમજ નાગરિકોને સાચો ન્યાય મળે તેવી કાર્યવાહીની માંગ પણ પ્રજાજનોમાં ઉઠવા પામી છે.