શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા રૂ1200 કરોડની ગ્રાન્ટ ફાળવાય

શક્તિ અને ભક્તિ માટે જાણીતા એવા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. 1200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

New Update
  • અંબાજી દર્શનાર્થે આવતા માઈભક્તોની સુખાકારીમાં થશે વધારો

  • શક્તિ-ભક્તિ માટે જાણીતું સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી

  • શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય-કેન્દ્ર સરકારનું આયોજન

  • રૂ. 1200 કરોડની ગ્રાન્ટમાંથી શક્તિપીઠ અંબાજીનો કરાશે વિકાસ

  • ગબ્બર સહિત અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને પ્રાધાન્ય

Advertisment

શક્તિ અને ભક્તિ માટે જાણીતા એવા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. 1200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યાત્રિકોની વધુ સુખાકારી માટે અંબાજીની પ્રવિત્રતાને લઇ મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરીડોરચાચરચોકવિસ્તૃતિકરણ તેમજ અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેને લઇ આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડીમોલેશન કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, ST નિગમગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. 

આ સાથે જ સૌપ્રથમ હોલીડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરીડોર અને 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડર ગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેમાં શરૂ થશે. જોકે, અંબાજીના વિકાસની કામગીરીને લઇ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો 3 વર્ષ સુધી બંધ રહેશે, તેવી વાતનું ખંડન કરતા અંબાજી મંદિરના વહીવટદારે તેને માત્ર અફવા ગણાવી હતી. મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે, અને જરૂર પડશે તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી મેળો ચાલુ જ રખાશે તેમ તેઓએ જણાવ્યું હતું.

Advertisment
Read the Next Article

બનાસકાંઠામાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનીને BSFએ ઠાર કર્યો, પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઈસમની કચ્છથી ધરપકડ, હર્ષ સંઘવીના ગુજરાત ATSને અભિનંદન...

ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફ, ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી

New Update
  • બનાસકાંઠામાં ઘુસણખોરી કરતો હતો એક પાકિસ્તાની વ્યક્તિ

  • BSFના જવાનોએ ઘુસણખોરી કરતા પાકિસ્તાનીને ઠાર કર્યો

  • ગુજરાત ATS દ્વારા પણ કચ્છના દયાપરમાં કરાય કાર્યવાહી

  • પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની ATSએ ધરપકડ કરી

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન આપ્યા 

Advertisment

બનાસકાંઠા જીલ્લામાં ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન પાઠવ્યા હતા.

ગત તા. 23 મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક BSFના જવાનોએ ઠાર કર્યો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતો જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી. છતાં તે આગળ વધી રહ્યો હતો. જેથી પરિસ્થિતિ જોતાં BSFના જવાનોએ ગોળીબાર કર્યો હતો.

જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. તો બીજી તરફગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. એટલું જ નહીંપાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.

ગુજરાત ATSને અભિનંદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કેયુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ PAK માટે જાસૂસીના કેસનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. લીડિંગ ટેરિરિઝમ સ્ક્વોડ સામે ગુજરાત ATS લડી રહી છેત્યારે આ જાસૂસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફબનાસકાંઠામાં ઘૂસણખોરને ઠાર કરવા મામલે તેઓએ નિવેદન આપતા જણાવ્યુ હતું કેઆ બાબતે હું કોઈ ટીકા ટીપ્પણી કરવા માંગતો નથી.

Advertisment