શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા રૂ1200 કરોડની ગ્રાન્ટ ફાળવાય

શક્તિ અને ભક્તિ માટે જાણીતા એવા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. 1200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

New Update
  • અંબાજી દર્શનાર્થે આવતા માઈભક્તોની સુખાકારીમાં થશે વધારો

  • શક્તિ-ભક્તિ માટે જાણીતું સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી

  • શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય-કેન્દ્ર સરકારનું આયોજન

  • રૂ. 1200 કરોડની ગ્રાન્ટમાંથી શક્તિપીઠ અંબાજીનો કરાશે વિકાસ

  • ગબ્બર સહિત અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને પ્રાધાન્ય

શક્તિ અને ભક્તિ માટે જાણીતા એવા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. 1200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યાત્રિકોની વધુ સુખાકારી માટે અંબાજીની પ્રવિત્રતાને લઇ મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરીડોરચાચરચોકવિસ્તૃતિકરણ તેમજ અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેને લઇ આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડીમોલેશન કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, ST નિગમગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. 

આ સાથે જ સૌપ્રથમ હોલીડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરીડોર અને 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડર ગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેમાં શરૂ થશે. જોકે, અંબાજીના વિકાસની કામગીરીને લઇ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો 3 વર્ષ સુધી બંધ રહેશે, તેવી વાતનું ખંડન કરતા અંબાજી મંદિરના વહીવટદારે તેને માત્ર અફવા ગણાવી હતી. મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે, અને જરૂર પડશે તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી મેળો ચાલુ જ રખાશે તેમ તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ થશે સક્રિય

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી

New Update
Heavy rains in Karnataka, Tamil Nadu, Gujarat, Maharashtra and Goa, Meteorological department issued orange alert

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.  

હવામાન  વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ભાવનગર અને ગીર સોમનામાં પણ વરસાદી માહોલ રહેશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે 10 મી તારીખે અને 11મી અને 12મી તારીખે વેધર મેપ પ્રમાણે, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 

જ્યારે 13મી તારીખથી ફરી વરસાદનું જોર વધતું દેખાય છે. 13મીએ અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે 14મી તારીખે અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.