પાટણ : શ્રમિક યુવકને GST વિભાગની રૂપિયા 1.96 કરોડની નોટિસથી ચકચાર,પરિવારમાં વ્યાપી ચિંતા

સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી.જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું.આ નોટિસ જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા

New Update
  • દુદખા ગામના યુવાન સાથે છેતરપિંડી

  • સુનિલ સથવારાને મળીGST વિભાગની નોટિસ

  • 1.96 કરોડનો ટેક્સ ભરવાની મળી નોટિસ

  • બેંગલુરુGST વિભાગની નોટિસ મળતા છેતરપિંડી સામે આવી

  • બનાવટી દસ્તાવેજો બનાવી આચરી છેતરપિંડી

  • 11થી વધુ પેઢીના નામે કરોડોનું ટર્ન ઓવર બહાર આવ્યું

પાટણના દુદખા ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી.જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું.આ નોટિસ જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.

આ મામલાની ગંભીરતાને જોતા સુનિલ સથવારા પરિવાજનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા અને ગૃહ વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આGST ટેક્સ નોટિસમાં 11 જેટલી કંપનીઓની વિગતો હતીઆ યુવકના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી તેના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Read the Next Article

ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો

New Update
  • સૌરાષ્ટ્રવાસીઓને નવી એક ટ્રેનની સુવિધા મળી 

  • અયોધ્યા જવા માટે ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે મંત્રીના હસ્તે કરાયો ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત

  • વ્યાપાર,વાણીજય,પ્રવાસનને વેગ મળવાની આશા

ભાવનગરથી અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પ્રારંભ કરાયો હતો.11 ઓગસ્ટથી આ ટ્રેન ભાવનગર અયોધ્યા વચ્ચે નિયમિત દોડશે.

સૌરાષ્ટ્રવાસીઓને અયોધ્યા જવા માટે નવી એક ટ્રેનની સુવિધા મળી છે.ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગરમાં બે નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર-રાજકોટ વાયા વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન શરૂ થતા રાજકોટજૂનાગઢ અને પોરબંદર જિલ્લાના લોકોને લાભ થશે. ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય રેલવેના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો. ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે 11 કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 11 ઓગસ્ટથી આ ટ્રેન નિયમિત ભાવનગર-અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક દોડશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ મંડાવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસીત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની 3જી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.આર્થિક ગતિવિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટપોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપારવાણીજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતી મળશે.લોકો  માટે આગમન સુગમ અને સુવિધાયુક્ત બનશે તથા વિકસીત ભારતની સાથે જ વિકસીત રાજકોટવિકસીત પોરબંદર અને વિકસીત જુનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.

સૌરાષ્ટ્રવાસીઓને નવી ટ્રેન અને વિકાસલક્ષી આયામોની ભેટ મળતા આંદોલનકારી રાકેશ લાધલાનીએ ખુશી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.અને વિદ્યાર્થી આગેવાન તરીકે ટ્રેન સુવિધા માટે કરેલા આંદોલન અને સંઘર્ષનું વર્ષો લોકોની સુખાકારી માટે સુખદ સફળતા પૂર્વકનું પરિણામ મળ્યું છે.