ગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની મુલાકાત, જુઓ વિડીયોમાં શું થયો ખુલાસો

શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત

New Update
ગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની મુલાકાત, જુઓ વિડીયોમાં શું થયો ખુલાસો

ગુજરાત બીજેપી અને આપ પાર્ટી વચ્ચે શિક્ષણ અને આરોગ્યના મુદ્દે આરોપ પ્રત્યારોપ ચાલી રહયા છે ત્યારે ગુજરાત બીજેપીના 17 સભ્યોના પ્રતિનિધિ મંડળે દિલ્હીની કેટલીક સ્કૂલો અને મોહલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી અને દાવો કર્યો છે કે અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ છે આપ પાર્ટી માત્ર વિકાસની વાતો કરે છે

છેલ્લા કેટલાક સમયથી આપ પાર્ટી દ્વારા ગુજરાત સરકાર અને બીજેપી આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યમાં શિક્ષણ નું સ્તર સારું નથી અને આરોગ્ય ના મામલે પણ ગુજરાત પાછળ છે આપ દ્વારા ત્યાં સુધી આરોપ લગાવાયો હતો કે ગુજરાત બીજેપી સરકાર શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ખોટું બોલે છે. થોડા દિવસો પહેલા દિલ્હીના ડે સીએમ મનીષ સિસોદિયા પણ ભાવનગરની સ્કૂલની મુલાકાત લીધી હતી ત્યારે હવે ભાજપના નેતા અમિત ઠાકરની આગેવાનીમાં 17 સભ્યોએ દિલ્હીમાં પ્રાથમિક સ્કૂલ અને મોહલ્લા ક્લિનિકની મુલાકાત લઇ વિડિઓ વાયરલ કર્યા છે.ભાજપના પ્રતિનિધિ મંડળનું કેહવું છે કે આપ દ્વારા દિલ્હીના વિકાસના જે પણ દાવા થઇ રહયા છે તે ખોટા છે અહીં સ્કૂલોમાં બેસવા માટે બેન્ચ નથી તો શેડના પતરા પણ તૂટી ગયા છે.પંખા પણ તૂટેલી હાલતમાં છે એટલું જ નહિ પણ સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક આસપાસ ગંદકીની ભરમાર છે.આ વિડિઓ ગુજરાત બીજેપી દ્વારા શોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે