દક્ષિણ ગુજરાતમાં માવઠું, ખેડુતોના લલાટે ચિંતાની લકીરો

ભરૂચ અને અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે રસ્તાઓની સાથે શહેરીજનો પણ ભીંજાય ગયાં હતાં

New Update
દક્ષિણ ગુજરાતમાં માવઠું, ખેડુતોના લલાટે ચિંતાની લકીરો

ભરૂચ અને અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે રસ્તાઓની સાથે શહેરીજનો પણ ભીંજાય ગયાં હતાં. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસરતળે રાજયભરમાં સવારથી હવામાન પલટાયું છે. ભરૂચ અને અંકલેશ્વરની વાત કરવામાં આવે તો સવારથી વાદળછાયુ વાતાવરણ હતું અને બપોર થતાંની સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ખેતીના અનેક પાકોને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. હવામાનમાં પલટો આવતાં ઠંડીના જોરમાં વધારો થયો છે. ભરૂચ જિલ્લા ઉપરાંત સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Read the Next Article

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે, પુત્ર ઋુષભ ગાંધીનગર પહોંચ્યાં

12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે.

author-image
By Connect Gujarat Desk
New Update
1749726703_new-project-8

12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે. આજે તેમના પુત્ર ઋુષભ ગાંધીનગર તેમના નિવાસસ્થાન પહોંચ્યાં છે. DNA રિપોર્ટ આવ્યા બાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે ત્યારબાદ તેમને રાજકોટ લઇ જવામાં આવશે અને રાજકોટમાં જ તેમની અંતિમ વિધિ થશે.  રૂપાણી પરિવાર રાજકોટ માટે રવાના થશે. તેમનો ડીએનએનો રિપોર્ટ ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યાં  છે. 2016થી 2021 સુધી તેમણે ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમના નિધનના સમાચારથી રાજકોટ શહેર શોકમગ્ન છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આજે રાજકોટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અડધો દિવસ ધંધા રોજકોટ બંધ રાખીને લોકલાડીલા નેતા વિજય રૂપાણીને શહેર દ્રારા શ્રદ્ધાંજલિ અપાશે.

ઉલ્લેખનિય છે કે, 12 જૂન અમદાવાદમાં સર્જાયેલી કારમી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 265થી જિંદગી હોમાઇ ગઇ. જેમાં વિજય રૂપાણીએ જિંદગી ગુમાવી છે. તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઇ રહ્યાં હતા. તેમના નિધનના સમાચારથી ન માત્ર ભાજપમાં પરંતુ સમગ્ર રાજકિય વર્તુળ અને ગુજરાતમાં શોક વ્યાપી ગયો છે. 13 જૂને તેમની પુત્રી અને પત્ની અમદાવાદ પહોંચ્યા હતા આજે તેમનો પુત્ર ઋષભ વહેલી સવારે ગાંધીનગર તેમના નિવાશ સ્થાને પહોંચ્યા હતા. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપાશે બાદ રાજકોટ રવાના થશે અને તેના માદરે વતનમાં જ અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો છે.         

Latest Stories