બનાસકાંઠા : ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ દેવ દિવાળી-કાર્તિકી પૂનમ નિમિત્તે અંબાજીમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા...

દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

New Update

દેવ દિવાળી અને કાર્તિકી પૂનમનો પવિત્ર અવસર

અંબાજી ખાતે માઁ અંબાના ધામમાં ઉમટ્યું ઘોડાપૂર

ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે પહોચ્યા અંબાજી

કિંજલ દવેએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

વિસ્તાર-મંદિરનો વિશ્વસનીય વિકાસ થયો : કિંજલ દવે

દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

દિવાળીના તહેવારોમાં અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છેત્યારે દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર અંબાજી ધામમાં જોવા મળ્યું હતું. આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા હતાત્યારે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ પણ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કિંજલ દવેએ જણાવ્યુ હતું કેદેવ દિવાળી અને કાર્તિક પૂનમના અવસરે ચાચર ચોકમાં સૌ દર્શન કરી રહ્યા છેત્યારે મને પણ લાભ મળ્યો છે કેહું માઁ અંબાના દર્શન કરવા અહીં આવી છું. આ તકે માતાજીને પ્રાર્થના કરું છું કેમાઁ અંબા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે. સાથે જ આ વિસ્તાર અને મંદિરનો વિશ્વસનીય વિકાસ થયો હોવાનું પણ કિંજલ દવેએ જણાવ્યુ હતું.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.