ખંભાતના નેજા ગામમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપાય, કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ

નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાંથી ઘેનની ગોળી બનાવવા માટે વાપરવામાં આવતા ગેરકાયદે કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

New Update
  • આણંદ-ખંભાતના નેજા ગામમાં ગુજરાત ATSની કાર્યવાહી

  • ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરીને ઝડપી લેવાય

  • ઘેનની ગોળી બનાવવામાં વપરાતો કેમિકલનો જથ્થો જપ્ત

  • ધોળકાના ગોડાઉનમાંથી પણ ગેરકાયદે ટ્રામાડોલ જપ્ત કર્યું

  • ગેરકાયદે કેમિકલના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ કરાય

Advertisment

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરીને ઝડપી લેવામાં ગુજરાત ATSને મોટી સફળતા સાંપડી છે. જેમાં કરોડો રૂપિયાના ગેરકાયદે કેમિકલના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ATSની ટીમે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતીજ્યાંથી ઘેનની ગોળી બનાવવા માટે વાપરવામાં આવતા ગેરકાયદે કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

જેમાં રૂ. 107 કરોડની કિંમતનો 107 કિલો અલ્પ્રાઝોલમનો જથ્થો તેમજ અન્ય 2518 કિલો કેમિકલ સાથે રણજિત ડાભીવિજય મકવાણાહેમંત પટેલલાલજી મકવાણા અને જયદીપ મકવાણા સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કેરણજિત ડાભીનું ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન આવેલું છેજ્યાં તેણે ગેરકાયદે 500 કિલો ટ્રામાડોલનો જથ્થો છુપાવી રાખ્યો હતોત્યારે બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતોજ્યાંથી પણ 500 કિલો ટ્રામાડોલનો જથ્થો તેમજ 49,800 પેકિંગ બોક્સ અને બોક્સ પેક કરવાના ફોઇલ રોલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment