જુનાગઢ : સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં વિસાવદર AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ 35 પડતર પ્રશ્નો રજૂ કર્યા…

જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો રજૂ કર્યા

New Update
  • કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની વિશેષ બેઠક યોજાય

  • વિસાવદરAAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહ્યા ઉપસ્થિત

  • બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નોની રજૂઆત કરી

  • પડતર સમસ્યાઓ મુદ્દે સુવિધા આપવા ઉગ્ર રજૂઆત કરાય

જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો સામે સુવિધા આપવા રજૂઆત કરી હતી.

જુનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે યોજવામાં આવે છેત્યારે આજરોજ જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો રજૂ કર્યા હતા.

જેમાં ખાસ કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓગામડાઓમાં સ્મશાનની દુઃખ દાયક સ્થિતિ તેમજ વીજ સમસ્યાયુવાનો માટે લાયબ્રેરીભેંસાણ-સુરત અને વિસાવદર-સુરતની બસ શરૂ કરવાછોડવડી ગામે પ્રોપર્ટી કાર્ડની સમસ્યામાલધારીઓને ઢોર ચરાવવા વાડા-જગ્યા માટે અરજીજર્જરિત કોઝ-વેવર્ષોથી ચાલતી પુલની કામગીરી સહિતના મુદ્દે રજૂઆત સાથે તાત્કાલિક તમામ સુવિધાઓ આપવા રજૂઆત કરી હતી.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.