પંજાબમાં વિજય બાદ જામનગરમાં ઈશુદાન ગઢવીની તિરંગા યાત્રા, દિલ્હીના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી તેમજ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ દ્વારા આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું.
BY Connect Gujarat15 March 2022 7:25 AM GMT
X
Connect Gujarat15 March 2022 7:29 AM GMT
પંજાબની ચુંટણીમાં વિજય મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી તેમજ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ દ્વારા આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું.
પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય પ્રાપ્ત થતાં આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ જામનગરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં આપની મહિલાઓ દ્વારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તિરંગા યાત્રા શહેરના રામેશ્વરનગરથી પ્રારંભ અને શહેરના વિવિધ માર્ગો પર પસાર થતાં નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું, યાત્રામાં ગુજરાત પ્રદેશ સંગઠનના અજિત લોખિલ, પ્રદેશ મંત્રી દુર્ગેશ ગડલિંગ, શહેર પ્રમુખ કરસનભાઇ કરમૂર સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા..
Next Story