જામનગર: મહાનગર પાલિકા દ્વારા મેગા ડીમોલીશન હાથ ધરાયુ, પોલીસ કાફલો રહ્યો તૈનાત

જામનગરના પ્રદર્શન મેદાનમાં મહાનગર પાલિકા દ્વારા અવારનવાર દબાણ કરતાં 32 જેટલા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા

New Update
જામનગર: મહાનગર પાલિકા દ્વારા મેગા ડીમોલીશન હાથ ધરાયુ, પોલીસ કાફલો રહ્યો તૈનાત

જામનગરના પ્રદર્શન મેદાનમાં મહાનગર પાલિકા દ્વારા અવારનવાર દબાણ કરતાં 32 જેટલા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા

જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં અવાર નવાર દબાણ થઈ જાય છે જ્યારે જ્યારે દબાણો હટાવાય છે તેના ત્રણ ચાર દિવસમાં ફરીથી દબાણકારો એ જ જગ્યા પર ફરીથી ગોઠવાઈ જાય છે ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના નિતિન દિક્ષિતની આગેવાનીમાં પ્રદર્શન મેદાનમાં ગેરકાયદેસર બની ગયેલા 32 જેટલા ઝૂંપડાઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.અહી સમયાંતરે ઝૂંપડપટ્ટી ઊભી થતી રહે છે અને તંત્ર દ્વારા સમયાંતરે તેને દૂર કરવા અંતે કવાયત હાથ ધરવામાં આવે છે ત્યારે સમય અને નાણાં બંને બરબાદ થાય છે આવા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.આ અંગે ભાજપના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી રાજવી પરિવારની પવિત્ર જગ્યા હોવાનું અને તેને આ ઝૂંપડપટ્ટી નડતરરૂપ હોવાનું જણાવ્યુ હતું