જામનગર : એક જ મંચ પર "પાટીલ" અને "પટેલ", ભાગવત સપ્તાહમાં આપી હાજરી...

જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
જામનગર : એક જ મંચ પર "પાટીલ" અને "પટેલ", ભાગવત સપ્તાહમાં આપી હાજરી...

જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા યોજાયેલ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશ ઓઝાની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ ભાગવત સપ્તાહ દરમ્યાન પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશ ઓઝાની અમ્રુત વાણી સહિત સંગીતમય કથાનો મોટી સંખ્યામાં શહેરીજનો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, સાંસદ પૂનમ માડમ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરમાં ભાગવત સપ્તાહ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ભૂમિ પર રામકથા સહિત ભાગવત સપ્તાહના આયોજનો થતા રહે છે. જેના કારણે જ સૌરાષ્ટ્રમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા ઓછી અને મંદિરોની સંખ્યા વધારે છે. ભાગવત સપ્તાહ એ માણસને અનીતિ તરફ જતા રોકી અને નીતિ તરફ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.