જુનાગઢ : તળાવ દરવાજા નજીક ટ્રેનની અડફેટે આવી જતાં ગાયનું મોત, રેલ્વે અધિકારીઓ દોડતા થયા...
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
BY Connect Gujarat Desk11 Nov 2023 8:23 AM GMT
X
Connect Gujarat Desk11 Nov 2023 8:23 AM GMT
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક ગત રાત્રિ દરમ્યાન રેલ્વે ટ્રેક પરથી પસાર થતી દેલવાડા-જૂનાગઢ રૂટની પેસેંજર ટ્રેનની અડફેટે આવી જતાં એક ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે ટ્રેનના ચાલકે ટ્રેન થોભવી દીધી હતી. આ સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળાં પણ ભેગા થયા હતા. તો બીજી તરફ, રેલ્વે વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા, જ્યાં રેલ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Next Story