જુનાગઢ : મોંઘીદાટ કારના ભાવમાં બિહાર-પટનાના અશ્વપાલકે કરી કાઠીયાવાડી અશ્વની ખરીદી...

હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છે, ત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે.

New Update
  • કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી

  • અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો

  • અંદાજે 11 વર્ષનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો

  • રૂ. 11.51 લાખમાં બિહાર-પટનાના અશ્વપાલકે અશ્વ ખરીદ્યો

  • મોંઘીદાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી

Advertisment

હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છેત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે.

જુનાગઢમાં રહેતા અશ્વ પાલક રાજુ રાડાનો 11 વર્ષનો કાઠીયાવાડી બ્રીડનો પૃથ્વી નામનો અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો છે. ખાસ કરીને પહેલાના સમયમાં કાઠીયાવાડી અશ્વ એ રાજા-રજવાડા અને નવાબ શોખ તેમજ યુદ્ધ લડવા માટે રાખતા હતાઅને ત્યારથી જ આ કાઠીયાવાડી અશ્વની માંગ રહેતી હતી. પરંતુ ધીમે ધીમે હવે કાઠીયાવાડ તેમજ ગુજરાતની અંદર કાઠીયાવાડી અશ્વ ઓછા જોવા મળે છેજ્યારે હવે અન્ય રાજ્યોમાં કાઠીયાવાડી અશ્વની માંગ વધી છે. કાઠીયાવાડી અશ્વ એ પોતાની રહેણીકરણી હાલ-ચાલથી ઓળખાતા હોય છેત્યારે બિહાર રાજ્યના પટનાના એક અશ્વપાલક દ્વારા મોંઘીદાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી છે. એકબે નહીં... પરંતુ રૂ. 11 લાખ 51 હજારમાં અશ્વની ખરીદી કરવામાં આવી છે. અન્ય અશ્વના ઉછેર અને કાઠીયાવાડી બ્રીડ વધે તે માટે આ અશ્વની ખરીદી કરાય હોવાનું જાણવા મળ્યું છે.

 

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment