જુનાગઢ : મોંઘીદાટ કારના ભાવમાં બિહાર-પટનાના અશ્વપાલકે કરી કાઠીયાવાડી અશ્વની ખરીદી...

હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છે, ત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે.

New Update
  • કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી

  • અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો

  • અંદાજે 11 વર્ષનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો

  • રૂ. 11.51 લાખમાં બિહાર-પટનાના અશ્વપાલકે અશ્વ ખરીદ્યો

  • મોંઘીદાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી

હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છેત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે.

જુનાગઢમાં રહેતા અશ્વ પાલક રાજુ રાડાનો 11 વર્ષનો કાઠીયાવાડી બ્રીડનો પૃથ્વી નામનો અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો છે. ખાસ કરીને પહેલાના સમયમાં કાઠીયાવાડી અશ્વ એ રાજા-રજવાડા અને નવાબ શોખ તેમજ યુદ્ધ લડવા માટે રાખતા હતાઅને ત્યારથી જ આ કાઠીયાવાડી અશ્વની માંગ રહેતી હતી. પરંતુ ધીમે ધીમે હવે કાઠીયાવાડ તેમજ ગુજરાતની અંદર કાઠીયાવાડી અશ્વ ઓછા જોવા મળે છેજ્યારે હવે અન્ય રાજ્યોમાં કાઠીયાવાડી અશ્વની માંગ વધી છે. કાઠીયાવાડી અશ્વ એ પોતાની રહેણીકરણી હાલ-ચાલથી ઓળખાતા હોય છેત્યારે બિહાર રાજ્યના પટનાના એક અશ્વપાલક દ્વારા મોંઘીદાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી છે. એકબે નહીં... પરંતુ રૂ. 11 લાખ 51 હજારમાં અશ્વની ખરીદી કરવામાં આવી છે. અન્ય અશ્વના ઉછેર અને કાઠીયાવાડી બ્રીડ વધે તે માટે આ અશ્વની ખરીદી કરાય હોવાનું જાણવા મળ્યું છે.

 

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, 

New Update
a

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છેઆ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતુંઆ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેફ્ટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.