જૂનાગઢ: સાસણ ગીર ખાતે ઇકો ઝોનના વિરોધમાં ટ્રેકટર અને બાઈક રેલી યોજી કરાયુ વિરોધ પ્રદર્શન

જૂનાગઢમાં છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

New Update
  • જૂનાગઢ સાસણ ગીર ખાતે ઇકો ઝોનનોવિરોધ

  • ખેડૂતોએ ટ્રેક્ટરઅને બાઈક રેલી યોજી કર્યો વિરોધ

  • આપ અને કોંગ્રેસનાનેતા પણ જોડાયા

  • વન અધિકારીનેઆવેદનપત્રપણ પાઠવ્યું

  • ઇકો ઝોનનોકાયદો રદ કરવા કરાઈ ઉગ્ર માંગ

જૂનાગઢમાં છેલ્લા60દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યોછે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનોવિરોધ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરના હેલીપેડ ખાતે ખેડૂતો સાથે આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા,પ્રવીણ રામ અને કોંગ્રેસ નેતા હીરા જોટવા ઉપસ્થિત રહીને ઇકો ઝોનનાવિરોધ રેલીમાં જોડાયા હતા.હેલી પેડ ખાતેથી સાસણ રેન્જ ફોરેસ્ટ ઓફિસસુધી ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તબક્કે ખેડૂતોમાં વન વિભાગ અને સરકારની ઇકો ઝોન કાયદા અંગેની નીતિને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.

બાઈક અને ટ્રેક્ટર રેલી પૂર્ણ થયા બાદ સાસણRFO કચેરી ખાતે આવેદન પત્રપણ આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર સત્વરે આ કાયદાને પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી.અનેઆપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ આવેદન આપતા સમયે વન વિભાગના કેટલાક કાયદાઓ જાહેરમાં વાંચી સંભળાવ્યા હતા.

Read the Next Article

અમરેલી : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ તંત્રની ઉદાસીનતા,શેત્રુજી નદી પરનો સાત દાયકા જૂનો બ્રિજ ખખડધજ બનતા સમારકામની ઉઠી માંગ

1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો..

New Update
  • શેત્રુજી નદી પરના બ્રિજની ખસ્તા હાલત

  • પીપાવાવ અને અંબાજી સ્ટેટ હાઇવે પરનો છે બ્રિજ

  • સાત દાયકા જૂનો  બ્રિજ બન્યો બિસ્માર

  • ચારેતરફ બ્રિજના દેખાય રહ્યા છે સળિયા

  • તાત્કાલિક જોખમી બ્રિજના સમારકામની ઉઠી માંગ 

અમરેલીમાં શેત્રુજી નદી પરનો બ્રિજ 7 સાત દાયકા જૂનો છે,જોકે તંત્ર દ્વારા સમયાંતરે બ્રિજની મરામત કરવામાં ન આવતા વર્તમાન સમયમાં બ્રિજ જોખમી બની ગયો છે,અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે.

વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ ધારાશાહી થવાની ગમખ્વાર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં 75 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પરનો શેત્રુજી નદી પરનો બ્રિજ ગમખ્વાર અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતીતિ સ્થાનિક લોકો કરી રહ્યા છે.વર્ષ 1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આજે આ 70 વર્ષમાં વ્હાણા વીતવા આવ્યા ત્યારે આ બ્રિજની હાલત હાલક ડોલક જેવી થઈ ગઈ છે.70 વર્ષ પહેલા આ બ્રિજ નાના વાહનો અને બળદગાડા પસાર થાય તે માટે નિર્માણાધીન કરવામાં આવ્યો હતો,પરંતુ આજે આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે ગણાઈ છે,અને આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે એટલે અમરેલીથી સાવરકુંડલા જવાનો શેત્રુજી નદી પરનો મુખ્ય બ્રિજ કહેવાય છે.

ચારેતરફ બ્રિજના સળિયાઓ બહાર ડોકિયા કરે છે અને સળિયા બહાર આવી ગયા છે.જ્યારે બ્રિજની ઘણીખરી રેલીંગ પણ તૂટી ગઈ છે. બ્રિજ પરથી પીપાવાવ પોર્ટના મસમોટા કન્ટેનર ટ્રક પસાર થાય છે,ઓવરલોડ વાહનો પણ પસાર થઈ રહ્યા છે.મુખ્ય સ્ટેટ હાઇવે હોવાથી રોજના હજારો વાહનો આ બ્રિજ પર પસાર થતા હોય ત્યારે અતિ જર્જરિત બની ગયેલા બ્રિજ પર મોટા વાહનો દોડવાથી વાઇબ્રેટિંગ કરતો અને ઝૂલતો બ્રિજ હોવાનો અહેસાસ વાહનચાલકો કરી રહ્યા છે.ત્યારે વાહનચાલકો તાત્કાલિક આ બ્રિજના સમારકામ માટે માંગ કરી રહ્યા છે.