જુનાગઢ : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેશોદ ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો...

જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં “જળ સંચય અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
  • કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ

  • સી.આર.પાટીલના હસ્તેજળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો

  • લોકો પોતાના ઘરમાં જ વરસાદી પાણીનો સંગ્રહ કરે : પાટીલ

  • ભાજપ પ્રમુખને લઈને પણ સી.આર.પાટીલનો આડકતરો ઇશારો

જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાંજળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સંચય અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લાના કેશોદ સ્થિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શ્રીફળ વધેરીને જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યુ હતું કેવરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવા સ્થળોએ પાણીનો બોર બનાવી વરસાદી પાણી જમીનમાં ઉતરે તો જળસ્તર વધે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને અપીલ કરી છેત્યારે આગામી સમયમાં લોકો પોતાના ઘરમાં જ વરસાદી પાણીનો સંગ્રહ કરે તેવી પણ સી.આર.પાટીલે મંચ પરથી અપીલ કરી હતી. આ સાથે જ જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ માટે લેવામાં આવતી સેન્સ પ્રક્રિયાને લઈને પણ સી.આર.પાટીલે ટકોર કરી હતી. તેઓએ શહેર ભાજપ પ્રમુખ મુદ્દે આડકતરો ઇશારો કરતાં આ વખતે રિપીટ થીયરી અપનાવે તેવી શક્યતાએ લોકમુખે ચર્ચા જગાવી છે.

Read the Next Article

નવસારી : નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ આપ્યો સંદેશ

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નવસારીમાં યોજાયો સરપંચ સમારોહ

  • કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય મંત્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

  • સરપંચોને ગામના વિકાસમાં ધ્યાન આપવા જણાવ્યું

  • કોન્ટ્રાકટર નહીં પરંતુ સરપંચ બનીને કામ કરવા કરી ટકોર

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે.

સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છેજાતે કામ કરવા માટે નહીં.

ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.