જુનાગઢ: કેશોદમાં પુત્રની સ્કોરલશીપ માટેનો દાખલો મેળવવા જતા મહિલા સાથે ગ્રા.પં.નાં કર્મચારીએ દુષ્કર્મ આચર્યું

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી

New Update

કેશોદમાં મહિલા બની દુષ્કર્મનો શિકાર 

પુત્રનો દાખલો મેળવવા માટે મહિલાનો પ્રયાસ 

માણેકવાડા ગ્રા.પંના કર્મચારીએ આચર્યું દુષ્કૃત્ય 

નરાધમે મહિલાને બોલાવી હતી ગેસ્ટ હાઉસમાં 

દાખલાના કામ અર્થે બોલાવી કર્મચારીએ પાપલીલા આચરી 

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી.પંચાયતના કર્મચારીએ મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી પોતાની હવસ સંતોષી હતી,ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની મહિલાને પોતાના પુત્રના સ્કોલરશીપ માટે આવકના દાખલાની જરૂર પડી હતી,જે અંગે મહિલા દ્વારા માણેકવાડા ગ્રામ પંચાયતમાં જરૂરી દસ્તાવેજી પુરાવા આપ્યા હતા,અને પંચાયતમાં ફરજ બજાવતા વિક્રમ વીરડાએ મહિલાને કેશોદના ગેસ્ટ હાઉસમાં આવકના દાખલાના કામના બહાને બોલાવી હતી,અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે ભોગ બનનાર મહિલાએ કેશોદ પોલીસ મથકમાં ગ્રામ પંચાયતના કર્મચારી વિક્રમ વીરડા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી,પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી વિક્રમ વીરડાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.  
Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.