જુનાગઢ: કેશોદમાં પુત્રની સ્કોરલશીપ માટેનો દાખલો મેળવવા જતા મહિલા સાથે ગ્રા.પં.નાં કર્મચારીએ દુષ્કર્મ આચર્યું

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી

New Update

કેશોદમાં મહિલા બની દુષ્કર્મનો શિકાર 

પુત્રનો દાખલો મેળવવા માટે મહિલાનો પ્રયાસ 

માણેકવાડા ગ્રા.પંના કર્મચારીએ આચર્યું દુષ્કૃત્ય 

નરાધમે મહિલાને બોલાવી હતી ગેસ્ટ હાઉસમાં 

દાખલાના કામ અર્થે બોલાવી કર્મચારીએ પાપલીલા આચરી 

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતમાં પુત્રના સ્કોલરશીપ માટે દાખલો લેવા માટે ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી.પંચાયતના કર્મચારીએ મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી પોતાની હવસ સંતોષી હતી,ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની મહિલાને પોતાના પુત્રના સ્કોલરશીપ માટે આવકના દાખલાની જરૂર પડી હતી,જે અંગે મહિલા દ્વારા માણેકવાડા ગ્રામ પંચાયતમાં જરૂરી દસ્તાવેજી પુરાવા આપ્યા હતા,અને પંચાયતમાં ફરજ બજાવતા વિક્રમ વીરડાએ મહિલાને કેશોદના ગેસ્ટ હાઉસમાં આવકના દાખલાના કામના બહાને બોલાવી હતી,અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે ભોગ બનનાર મહિલાએ કેશોદ પોલીસ મથકમાં ગ્રામ પંચાયતના કર્મચારી વિક્રમ વીરડા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી,પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી વિક્રમ વીરડાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.  
Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.