જૂનાગઢ :  વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

New Update
  • વિસાવદરમાં યોજાયું આપનું પ્રદેશ કાર્યકર્તા સંમેલન

  • પેટાચૂંટણીને લઈને આપની તૈયારીઓ તેજ

  • ગોપાલ ઈટાલિયા આપમાંથી લડશે ચૂંટણી

  • ગોપાલ ઇટાલિયાએભાજપ સરકાર પર કર્યા પ્રહાર

  • ભાજપના નેતાઓને ઇટાલિયાએ ગઝનીના વારસદાર કહ્યા 

જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે આપના કાર્યકર્તાઓના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું હતું.વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

આ કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ગઝનીના વારસદારો કહ્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કેવિસાવદર-ભેંસાણ વિધાનસભાની પેટાચૂંટણી સામાન્ય નહીં રહે. કારણ કે જેમ એક જમાનામાં મહંમદ ગઝની આખું દળ કટક લઈ આવ્યો હતો. એમ આ ચૂંટણીમાં ભાજપના બધા ગઝની અહીં આવવાના છે. ભાજપના નેતાઓના ખટારાના ખટારા અહીં ઠલવાશે. ભાજપે ગામમાં માણસ દીઠ નેતાઓ ઉતારવાનું નક્કી કર્યું છે. એ લોકો પોલીસનો પાવર વાપરશેગુંડાઓબૂટલેગરોમાફિયાઓ અને તોડબાજ અધિકારીઓનો પાવર વાપરીને તમામનો દૂર ઉપયોગ કરશે. આ ગઝનીના વારસદારો છે. જે વિસાવદર ભાંગવાના છે પણ આપણે વિસાવદર-ભેંસાણ બચાવી લેવાનું છે.

આ પ્રસંગે ગુજરાતના પ્રભારી ગોપાલ રાયસહ પ્રભારી ગુલાબસિંહ યાદવસહ પ્રભારી દુર્ગેશ પાઠકપ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીપ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.