જૂનાગઢ : ગીર સાસણના જંગલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભારતીય સંસ્કૃતિનો વારસો જીવંત રાખ્યો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે,

New Update
  • ગીર સાસણના જંગલમાં અભ્યાસ કરતા બાળકો

  • ભારતીય સંસ્કૃતિનો વારસો રાખ્યો જીવંત

  • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે બાળકો

  • એક શિક્ષક દ્વારા બાળકોને પીરસાય છે અભ્યાસનું ભાથુ

  • શિક્ષકના પ્રયાસોએ બાળકોના વાલીઓમાં રેલાવી ખુશી  

જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે,ત્યારે જંગલની વચ્ચે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે,એટલે જંગલમાં પશુ ચરાવે અને દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે એમના બાળકો અભ્યાસ કરવા જાય ક્યાં જેમાં ખાસ કરીને જંગલમાં નેસડા તો ઘણા બધા આવેલા છે.એમાં પણ ખડખડ વેહેતી હિરણ નદી અને સિંહનો વસવાટ જંગલની આસપાસ સ્કૂલ પણ ન આવેલી હોય પરંતુ પ્રશ્નએ થાય છે કે આ જંગલમાં માલધારીઓ વસવાટ કરે છે.એમના બાળકોને અભ્યાસ કરવા જવું ક્યાંત્યારે સરકાર દ્વારા કાસીયા નેસમાં એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા ઉભી કરવામાં આવી છે.અને એક શિક્ષક પણ અહીંયા બાળકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા છે.

શિક્ષક કેતન મેઘનાથીએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જંગલમાં ભલે વસવાટ કરતા હોય પરંતુ અભ્યાસમાં ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાંસ્કૃતિક વારસો કોઈએ શીખવું હોય તો અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી શીખવો પડે.જંગલ નેસડામાં બાળકોને અભ્યાસ મળતા બાળકોના વાલીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : શહેરના માર્ગો ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,નગરપાલિકાની સામે રોષ ઠાલવતા નગરજનો

અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

New Update
  • બિસ્માર રસ્તાથી નગરજનો પરેશાન

  • રસ્તા ખખડધજ બનતા વાહન ચાલકોમાં રોષ

  • ખાડા પુરવામાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ

  • નગરજનોને સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ

  • ગણેશોત્સવ પહેલા સારા રસ્તાની ઉઠી માંગ

અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વરમાં વરસાદ વરસ્યા બાદ રસ્તાઓ ખખડધજ બની ગયા છે.જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.શહેરમાં સ્ટેશન રોડથી ભરૂચીનાક સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે.રોડ પરથી પસાર થતા વાહનચાલકો સારા રસ્તા માટેની માંગ કરી રહ્યા છે.જે વિસ્તારમાં રોડ પરના ખાડા પૂરવામાં આવ્યા હતા,ત્યાં ફરીથી ખાડા પડી ગયા હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર નગરજનોને સારી સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.   

અંકલેશ્વરમાં રસ્તા ખખડધજ બનતા આગામી ગણેશોત્સવને લઈને તમામ રસ્તાઓ નવીનીકરણની માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત મહાવીર ટર્નિંગ પાસે નવા બનાવેલા રોડ પર પણ ખાડા પડ્યા પડી જતા વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા ગુણવત્તાયુકત રસ્તા બનાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.