Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સિવિલ હોસ્પિટલે જીવતા યુવાનને મૃત અને મૃતક યુવાનને જીવતો જાહેર કરતાં ચકચાર, બે પરિવારોમા આક્રોશ

અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો

X

અનેક વિવાદથી ઘેરાયેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.મૃતક વ્યક્તિના પરિવારજનોને અંધારામાં રાખીને હોસ્પિટલમાંથી ફરાર બતાવ્યો અને જીવંત વ્યક્તિના પરિવારજનોને મૃતક જાહેર કરતા ચકચાર મચી છે.

અનેક વિવાદથી ઘેરાયેલી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો પર્દાફાશ થયો છે. સિવિલ હોસ્પિટલમાં 502 વોર્ડ નંબરમાં આઈસોલેટ થયેલ અશોક જેઠા કણસાગરા નામના વ્યક્તિએ એસિડ પી લીધું હતું અને તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. અને તે જ વોર્ડમાં દાખલ થયેલ ઇવનગરના તુલસીદાસ મણીલાલ નામના વ્યક્તિ પણ હતા. બન્યું એવું કે અશોક કણસાગરાના પરિવારજનો જ્યારે તેની ખબર પૂછવા આવ્યા ત્યારે હોસ્પિટલના સ્ટાફે તે ભાગી ગયો છે તેવું જણાવ્યું હતું. હકીકતમાં તારીખ 2ના રોજ અશોક જેઠા કણસાગરા મૃત્યુ પામ્યો હતો.

હોસ્પિટલની બેદરકારી આટલેથી જ નહીં પૂરી થતાં ઇવનગરના જે તુલસીદાસ મણીલાલ દાખલ હતા તેના પરિવારજનોને મૃતક હોવાની જાણ કરવામાં આવી હતી.હકીકતમાં અશોક કણસાગરાને બદલે તુલસીદાસ મણીલાલ નામનો વ્યક્તિ હોસ્પિટલમાંથી નાસી છૂટેલ હતો પરંતુ તેના પરિવારજનોને તુલસીદાસ મણિલાલ મૃત્યુ પામ્યા છે તેઓ ખોટો મેસેજ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાનો પર્દાફાશ પોલીસ નિવેદન લેવા પહોંચી ત્યારે થયો અને અશોક કણસાગરાના પરિવારજનો ને બે કલાક પહેલા જ જાણ કરવામાં આવી કે તેનું સ્વજન મૃત્યુ પામ્યા છે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં મૃતક અશોક કણસાગરાનો મૃતદેહ સાચવી રાખવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના 502 વોર્ડમાં રહેલા સ્ટાફની બેદરકારી અને જીવતા યુવાનને મૃત જાહેર કરી અને મૃતક યુવાનને જીવતા જાહેર કરનાર ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

Next Story