જૂનાગઢ: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું,પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કર્યું

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે.

New Update
  • જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું

  • પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કર્યો પ્રયાસ

  • કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું

  • અંદાજિત એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ અપાઈ

  • ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના પ્રયાસો 

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા સરાહનીય પગલુ ભર્યું છે.દિવસે ને દિવસે રાસાયણિક ખાતરોના વધારે વપરાશથી ખેતીની જમીન બંજર બની રહી છે અને ઉત્પાદિત પાક લોકોના સ્વાસ્થ્યને હાનિકારક સાબિત થઈ રહ્યો છે.ત્યારે ગુજરાતના રાજ્યપાલ દ્વારા આ ગંભીર સમસ્યાનો નિરાકરણ લાવવા માટે ખેડૂતોને જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે જુનાગઢ જિલ્લાના 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. જે માંથી 21 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે,તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરે પ્રાકૃતિક ખેતીના સંદેશાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું છે.દર ગુરૂવારના સાંજના સમયે ખેડૂતો પોતાના પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તાલુકા કક્ષાની ઓફિસોમાં પણ પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ

વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

New Update
Traffic Jam

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.