જૂનાગઢ: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું,પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કર્યું

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે.

New Update
  • જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું

  • પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કર્યો પ્રયાસ

  • કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું

  • અંદાજિત એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ અપાઈ

  • ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના પ્રયાસો 

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા સરાહનીય પગલુ ભર્યું છે.દિવસે ને દિવસે રાસાયણિક ખાતરોના વધારે વપરાશથી ખેતીની જમીન બંજર બની રહી છે અને ઉત્પાદિત પાક લોકોના સ્વાસ્થ્યને હાનિકારક સાબિત થઈ રહ્યો છે.ત્યારે ગુજરાતના રાજ્યપાલ દ્વારા આ ગંભીર સમસ્યાનો નિરાકરણ લાવવા માટે ખેડૂતોને જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે જુનાગઢ જિલ્લાના 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. જે માંથી 21 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે,તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરે પ્રાકૃતિક ખેતીના સંદેશાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું છે.દર ગુરૂવારના સાંજના સમયે ખેડૂતો પોતાના પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તાલુકા કક્ષાની ઓફિસોમાં પણ પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ જીલ્લામાં મોહરમ પર્વની ઉજવણી

  • ભરૂચ અને અંકલેશ્વરમાં નીકળ્યા તાજીયા જુલુસ

  • વરસતા વરસાદમાં પણ જોવા મળ્યો ઉત્સાહ

  • કલાત્મક તાજીયાનું નર્મદા નદીમાં કરાયું વિસર્જન

  • મુસ્લિમ સમાજે અધિકારીઓનું કર્યું સન્માન

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે વરસતા વરસાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ રંગો અને લાઇટિંગો સાથેના કલાત્મક તાજીયાના જુલુસ કાઢ્યા કાઢવામાં આવ્યા હતા.આ અવસર નિમિત્તે શહેર મુસ્લિમ સમાજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ સહિત પોલીસની ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર  શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના જુલુસ  નીકળ્યા હતા.અને તાજીયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે તાજીયા જુલુસ મોડી રાત્રે સંપન્ન કરાયું હતું. તાજીયા કમિટી દ્વારા તાજીયા જુલુસની યાત્રા સફળ બનાવવા બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા સહિત પોલીસ અધિકારીઓએનું સન્માન કરવામાં આવ્યું હતું.