જુનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદથી જિલ્લાભરના નદી નાળા છલકાતા અત્ર તત્ર સર્વત્ર પાણીજ પાણી
જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની કૃપા વરસતા નદી નાળાઓમાં પૂર આવ્યા હતા અને સાથે સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ હતી. બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા અને ભાખરવડ ડેમ ઓવરફલો થયા હતા. જેમાં ઓઝત વંથલીનાં 12, ઓઝત શાપુરનાં 10, સાબલીનાં 7, બાંટવા ખારોનાં 3 અને ઓઝત-2 ડેમનાં 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
જ્યારે આંબાજળ ડેમનો 1 દરવાજો ખોલી જળાશયનું રુલ લેવલ જાળવવા નદી નાળામાં પાણી છોડવામાં આવ્યું હતું. સતત મેઘમહેરથી જીવનજીવન પ્રભાવિત થયું હતું અનેક દાતાર અને ગિરનાર પર્વત પર પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા જેના પરિણામે કાળવા નદી પણ બે કાંઠે થઈ હતી. આ સાથે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું હતું. અવિરત વરસાદથી જય જુઓ ત્યાં પાણીજ પાણી છે ખેતરો પણ પાણીથી તરબતર થઈ ગયા છે તો કયા વધારે પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ પણ થયું છે..