જૂનાગઢ: સતત વરસી રહેલા વરસાદથી ઘેડ પંથકમાં અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ

જુનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદથી જિલ્લાભરના નદી નાળા છલકાતા અત્ર તત્ર સર્વત્ર પાણીજ પાણી

New Update

જુનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદથી જિલ્લાભરના નદી નાળા છલકાતા અત્ર તત્ર સર્વત્ર પાણીજ પાણી

જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની કૃપા વરસતા નદી નાળાઓમાં પૂર આવ્યા હતા અને સાથે સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ હતી. બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા અને ભાખરવડ ડેમ ઓવરફલો થયા હતા. જેમાં ઓઝત વંથલીનાં 12, ઓઝત શાપુરનાં 10, સાબલીનાં 7, બાંટવા ખારોનાં 3 અને ઓઝત-2 ડેમનાં 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

જ્યારે આંબાજળ ડેમનો 1 દરવાજો ખોલી જળાશયનું રુલ લેવલ જાળવવા નદી નાળામાં પાણી છોડવામાં આવ્યું હતું. સતત મેઘમહેરથી જીવનજીવન પ્રભાવિત થયું હતું અનેક દાતાર અને ગિરનાર પર્વત પર પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા જેના પરિણામે કાળવા નદી પણ બે કાંઠે થઈ હતી. આ સાથે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું હતું. અવિરત વરસાદથી જય જુઓ ત્યાં પાણીજ પાણી છે ખેતરો પણ પાણીથી તરબતર થઈ ગયા છે તો કયા વધારે પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ પણ થયું છે..

Read the Next Article

અમરેલી : ધોબા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા 5 લોકોના SDRF’ની ટીમે રેસક્યું કર્યા...

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

New Update
  • ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકાર સજ્જ

  • રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં તંત્રની કામગીરી

  • કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોચી વળવા તંત્ર કટિબદ્ધ

  • સાવરકુંડલામાં SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી

  • પાણીમાં ફસાયેલા અનેક લોકોના રેસક્યું ઓપરેશન કરાયા

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ ગત મોડી રાતે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતોત્યારે અમરેલી જીલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છેજ્યારે વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા 10 ઇંચ જેટલા વરસાદના પગલે પૂર પ્રકોપથી ધોબા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતાત્યારે SDRFની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી.

હજુ પણ અમરેલી રેડઝોનમાં આવતું હોયજેને લઈને આસપાસમાં રાજુલાજાફરાબાદ અને દરિયાઈ કાંઠા વિસ્તારો હોવાથી SDRFની એક 24 જવાનોની ટીમને પીએસઆઈ અધિકારી સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ માનવ જિંદગીઓ બચાવવા SDRF સક્ષમ સાબિત થતી હોય છેત્યારે રેસ્ક્યુ ઓપરેશનો કરી માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટહેવી લાઇટકટર મશીનો સહિતની આધુનિક સાધન સામગ્રી સાથે SDRFની ટીમ અમરેલી જિલ્લાના મધ્યબિંદુ સાવરકુંડલામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.