જુનાગઢ : સમારકામ વેળા માંગરોળમાં જર્જરિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 15 ફૂટ ઉપરથી 8 લોકો નદીમાં ખાબક્યા…

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા.

New Update
  • રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી

  • માંગરોળના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટ્યો

  • હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા

  • સદનસીબે ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ

  • પુલ તૂટ્યો નથીપણ તોડવામાં આવ્યો છે : કલેક્ટર

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકેસદનસીબે આ દુર્ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

વડોદરા-આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છેત્યારે રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક આવેલ બ્રિજ તૂટી પડ્યો હતો. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલ પુલનો સ્લેબ તૂટ્યો હતો. આ ઘટનામાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકેસદનસીબે આ દુર્ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કેઆ પુલ તૂટ્યો નથીપણ તોડવામાં આવ્યો છે.

તો બીજી તરફસ્થાનિકોનો આક્ષેપ છે કેજર્જરિત બ્રિજનું સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે. આ જાહેર રસ્તો છેહજારો વાહનો અહીથી પસાર થાય છે. અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકેદુર્ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કેપુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.