-
આંબામાંમધિયો રોગથી ખેડૂતોમાં ચિંતા
-
કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા
-
ઋતુચક્રમાં આવેલા ફેરફારના કારણે સર્જાઈ પરિસ્થિતિ
-
ખેડૂતઅને ઈજારેદારોની ચિંતામાં થયો વધારો
-
દવાના છંટકાવ બાદ પણ રોગ બન્યો બેકાબુ
જુનાગઢ પંથકમાં આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. આંબામાં મધિયો રોગનાકારણે ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા છે.
જૂનાગઢ પંથકમાં આંબે ઝૂલતા મોરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી,પરંતુ અચાનક મધિયો રોગ લાગુ પડતા ખેડૂતોની ખુશી ચિંતામાં પરિણામી હતી.ડિસેમ્બર મહિનામાં આંબા પર 60થી 70 ટકા જેટલા મોર એક સાથે આવ્યા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે તબક્કામાં વધુ મોર આવ્યા હતા.આ વર્ષે 90થી 95 ટકા જેટલું ફ્લાવરિંગ થવાની અપેક્ષા હતી. બાગાયત વિભાગના નિષ્ણાંત ડી.કે. વરુના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં કોલ્ડવેવની અસર શરૂ થઈ હતી. રાત્રિનું તાપમાન 6-7 ડિગ્રી સુધી પહોંચ્યું અને દિવસનું તાપમાન 20થી 25 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. આ કારણે ફળ ધારણની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.
દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટા ફેરફાર થયો હતો. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. છેલ્લા ઘણા વર્ષો બાદ આ વર્ષે મધિયો રોગનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે. ખેડૂતોએ દવાનો છંટકાવ કર્યો છે, પરંતુ મધિયો રોગ કાબુમાં આવતો નથી. તાલાળા અને વંથલી વિસ્તારમાં મધિયો રોગની અસર સૌથી વધુ જોવા મળી છે, જ્યારે ભેસાણ અને ધારી વિસ્તારમાં પ્રમાણ ઓછું છે. આ પરિસ્થિતિને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે.