જૂનાગઢ : આંબામાં મધિયો રોગથી કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા,ખેડૂતોમાં ચિંતા

જૂનાગઢ પંથકમાં આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. આંબામાં મધિયો રોગનાકારણે ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા છે.

New Update
  • આંબામાંમધિયો રોગથી ખેડૂતોમાં ચિંતા

  • કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા

  • ઋતુચક્રમાં આવેલા ફેરફારના કારણે સર્જાઈ પરિસ્થિતિ

  • ખેડૂતઅને ઈજારેદારોની ચિંતામાં થયો વધારો

  • દવાના છંટકાવ બાદ પણ રોગ બન્યો બેકાબુ

જુનાગઢ પંથકમાં આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. આંબામાં મધિયો રોગનાકારણે ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા છે.

જૂનાગઢ પંથકમાં આંબે ઝૂલતા મોરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી,પરંતુ અચાનક મધિયો રોગ લાગુ પડતા ખેડૂતોની ખુશી ચિંતામાં પરિણામી હતી.ડિસેમ્બર મહિનામાં આંબા પર 60થી 70 ટકા જેટલા મોર એક સાથે આવ્યા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે તબક્કામાં વધુ મોર આવ્યા હતા.આ વર્ષે 90થી 95 ટકા જેટલું ફ્લાવરિંગ થવાની અપેક્ષા હતી. બાગાયત વિભાગના નિષ્ણાંત ડી.કે. વરુના જણાવ્યા મુજબડિસેમ્બરમાં કોલ્ડવેવની અસર શરૂ થઈ હતી. રાત્રિનું તાપમાન 6-7 ડિગ્રી સુધી પહોંચ્યું અને દિવસનું તાપમાન 20થી 25 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. આ કારણે ફળ ધારણની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.

દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટા ફેરફાર થયો હતો. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. છેલ્લા ઘણા વર્ષો બાદ આ વર્ષે મધિયો રોગનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે. ખેડૂતોએ દવાનો છંટકાવ કર્યો છેપરંતુ મધિયો રોગ કાબુમાં આવતો નથી. તાલાળા અને વંથલી વિસ્તારમાં મધિયો રોગની અસર સૌથી વધુ જોવા મળી છેજ્યારે ભેસાણ અને ધારી વિસ્તારમાં પ્રમાણ ઓછું છે. આ પરિસ્થિતિને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.