જૂનાગઢ: કેરીના રસિકો માટે સારા સમાચાર, આ વર્ષે પાક સારો ઉતરે એવી સંભાવના

કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

New Update
  • કેરી રસિકો માટે સારા સમાચાર

  • કેરીનો પાક સારો ઉતરે એવી સંભાવના

  • ફળના બંધારણની પ્રક્રિયા પણ સારી રહેશે

  • ઉત્પાદન 35 ટકા વધુ રહેશે

  • આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ

કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આંબાના બગીચા ધારકો દ્વારા પણ કેરી વહેલી આવશે તેવી આશા રાખી રહ્યા છે.
જુનાગઢએ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે.આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે.આ વર્ષ ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો. જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે.આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ આવવા માટે ખૂબ જ લાભદાયક છે.જો આ જ પરિસ્થિતિ રહેતો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે
બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ભેસાણ અને સાસણ તાલાળા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે અને આ વર્ષે બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર હોય છે પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં પાંચ પાંચ મોર આવ્યા છે અને ઘટાદાર મોર આવી જતા તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઘણા આબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે અને તેનું બંધારણ જો વાતાવરણ આવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતા 30 થી 35% જેટલું વધારે રહેશે તેવી આશા છે...
આમ આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળે તેવી સંભાવના હાલતો દેખાઈ રહી છે.
Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ