મગફળીના પાકમાં જીવાતથી નુકસાન
વરસાદ ખેંચતા પાકને થયું નુકસાન
મુંડા નામની ઇયળનો ઉપદ્રવ વધ્યો
ખેડૂતોએ યોગ્ય સહાયની કરી માંગ
કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અપાયું માર્ગદર્શન
સૌરાષ્ટ્રમાં ચોમાસું પાક તરીકે મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. હાલમાં મગફળીનો પાક તૈયાર થવા આવ્યો છે, પરંતુ પાકની કાપણી પહેલાં જ મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધતા મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલો મગફળીના પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે. તેઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે નિષ્ણાતોની ટીમ બનાવીને રોગના નિયંત્રણ માટે પગલાં લેવા અંગે માંગ કરી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિક જી.આર. ગોહિલના જણાવ્યા મુજબ વાવેતરની શરૂઆતમાં જંતુનાશકનો ઉપયોગ ન કરવાના કારણે આ સમસ્યા વધી છે. ખેડૂતોને ખેતરની આજુબાજુના ઝાડની વધારાની ડાળીઓ કાપવાની, પેસ્ટિસાઈડ છાંટવાની અને જો મુંડા દેખાય તો પંપમાં ક્લોરો નાખીને છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે જમીન ઓછી પોચી રહે અને તાત્કાલિક પિયત આપવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે.જો સમયસર યોગ્ય સલાહ અને પગલાં લેવાશે તો પાકનું નુકસાન અટકાવીને ઉત્પાદન બચાવી શકાય તેમ છે.