જૂનાગઢ : વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી, ડુપ્લીકેટ હવાઈ યાત્રાની ટિકિટથી થયો ઘટસ્ફોટ

જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે.

New Update
  • બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી

  • વિદેશમાં નોકરી આપવાની લાલચે છેતરપિંડી

  • બનાવટી પ્લેનની ટિકિટથી ભાંડો ફૂટ્યો

  • ભેજાબાજોએ નોકરીની લાલચ આપીને પડાવ્યાં રૂપિયા

  • ઘટના પ્રકાશમાં આવતા જ ભેજાબાજો થયા રફુચક્કર   

જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે. હવાઈ યાત્રાની બનાવટી ટિકિટનો ભાંડાફોડ થતા વિદેશમાં સ્થાઈ થઈને પગભર થવાનું સ્વપ્ન સેવતા યુવાનોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યાં હતા,અને કાવતરું રચનાર ભેજાબાજો ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા હતા.

જૂનાગઢમાં આવેલા એપલવુડ શોપિંગ મોલમાં કેરિયર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને જૂનાગઢ સહિત આજુબાજુના 10 થી વધારે બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી આચરી છે.એક યુવાન દીઠ રૂપિયા 5 લાખ વસુલ કરીને ખોટી પ્લેનની ટિકિટ પકડાવી દીધી હતી અને એરપોર્ટ પર ગયા બાદ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો.

પ્રથમ આ યુવાનોને ટ્રેન મારફતે મુંબઈ મોકલવામાં આવ્યા હતા.ત્યાંથી પ્લેનમાં બેંગ્લોર મોકલાયા હતા,આ યુવાનોને મલેશિયા અને પછી એલ્બેનિયામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. અને પ્રથમ હપ્તો રૂપિયા 50 હજાર લીધા બાદ બાકીની પ્રોસેસ કરવા માટેના 4 લાખ 50 હજાર પણ લઈ લેવામાં આવ્યા હતા.મુંબઈ તેઓને 15 દિવસ રોકી રાખવામાં આવ્યા હતાત્યારબાદ હમણાં વિઝા નહીં થાય તેમ કહી જુનાગઢ પરત બોલાવી લેવાયા હતા,અને ફરી પાછા તેઓને નકલી ટિકિટો આપીને બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા.ત્યાં એરપોર્ટ ઉપર ટિકિટ નકલી હોવાનું જાણવા મળતા જ યુવાનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

બેરોજગાર યુવાનોના માતા પિતાએ અનેક તકલીફો વેઠીને રૂપિયા ભેગા કર્યા હતા,પોતાનો દીકરો વિદેશમાં સારી કમાણી કરીને પરિવારનું આર્થિક પાસુ મજબૂત કરશે તેવી આશા રાખી હતી,પરંતુ ઘટનામાં છેતરાયા બાદ માતા-પિતાને ખૂબ જ દુઃખ થયું હતું.બેંગ્લોર ગયેલા યુવાનો કયા મોઢે ઘરે પરત આવે તે વિચારતા હતા,પરંતુ માતા-પિતાની સમજાવટથી યુવાનો જૂનાગઢ પરત આવ્યા હતા,અને ઓફિસે જોયું તો ત્યાં તાળા મારી આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

જૂનાગઢ :  રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિન ખોટકાતા મુસાફરો થયા હેરાન પરેશાન, રેલવે તંત્ર સામે લોકોમાં રોષ

શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. ટ્રેન શરૂ ન થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.....

New Update
  • રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં ખામી સર્જાઈ

  • શાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનના એન્જિનમાં સર્જાઈ ખામી

  • ટ્રેન બંધ પડતા રેલવે યાત્રીઓની પરેશાની વધી

  • રેલવે વિભાગ દ્વારા સહકાર ન આપતા પેસેન્જરોમાં રોષ

  • ટ્રેનની ક્ષતિ દૂર કર્યા બાદ ટ્રેન થઈ રવાના 

રાજકોટ-વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. ટ્રેન શરૂ ન થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટ-વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. દોઢ કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ હતી. ટ્રેન શરૂ ન થતાં મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રેલવે વિભાગના બેદરકાર વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કેરાત્રે અંદાજિત 9 વાગ્યે ટ્રેન શાપુર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકેકલાકો વિતવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ખામી દૂર કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી ન કરાતા મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

વધુમાં આ સમય દરમિયાન મુસાફરો,અને નાના બાળકો ખૂબ જ હેરાન થયા હતા. ટ્રેન સંચાલક દ્વારા પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.તેમજ રેલવે તંત્ર સામે મુસાફરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો,જાણવા મળ્યા મુજબ કલાકોની જહેમત બાદ ટ્રેનની ક્ષતિ દૂર કરીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

Latest Stories