જૂનાગઢ : વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી, ડુપ્લીકેટ હવાઈ યાત્રાની ટિકિટથી થયો ઘટસ્ફોટ

જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે.

New Update
  • બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી

  • વિદેશમાં નોકરી આપવાની લાલચે છેતરપિંડી

  • બનાવટી પ્લેનની ટિકિટથી ભાંડો ફૂટ્યો

  • ભેજાબાજોએ નોકરીની લાલચ આપીને પડાવ્યાં રૂપિયા

  • ઘટના પ્રકાશમાં આવતા જ ભેજાબાજો થયા રફુચક્કર   

જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે. હવાઈ યાત્રાની બનાવટી ટિકિટનો ભાંડાફોડ થતા વિદેશમાં સ્થાઈ થઈને પગભર થવાનું સ્વપ્ન સેવતા યુવાનોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યાં હતા,અને કાવતરું રચનાર ભેજાબાજો ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા હતા.

જૂનાગઢમાં આવેલા એપલવુડ શોપિંગ મોલમાં કેરિયર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને જૂનાગઢ સહિત આજુબાજુના 10 થી વધારે બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી આચરી છે.એક યુવાન દીઠ રૂપિયા 5 લાખ વસુલ કરીને ખોટી પ્લેનની ટિકિટ પકડાવી દીધી હતી અને એરપોર્ટ પર ગયા બાદ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો.

પ્રથમ આ યુવાનોને ટ્રેન મારફતે મુંબઈ મોકલવામાં આવ્યા હતા.ત્યાંથી પ્લેનમાં બેંગ્લોર મોકલાયા હતા,આ યુવાનોને મલેશિયા અને પછી એલ્બેનિયામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. અને પ્રથમ હપ્તો રૂપિયા 50 હજાર લીધા બાદ બાકીની પ્રોસેસ કરવા માટેના 4 લાખ 50 હજાર પણ લઈ લેવામાં આવ્યા હતા.મુંબઈ તેઓને 15 દિવસ રોકી રાખવામાં આવ્યા હતાત્યારબાદ હમણાં વિઝા નહીં થાય તેમ કહી જુનાગઢ પરત બોલાવી લેવાયા હતા,અને ફરી પાછા તેઓને નકલી ટિકિટો આપીને બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા.ત્યાં એરપોર્ટ ઉપર ટિકિટ નકલી હોવાનું જાણવા મળતા જ યુવાનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

બેરોજગાર યુવાનોના માતા પિતાએ અનેક તકલીફો વેઠીને રૂપિયા ભેગા કર્યા હતા,પોતાનો દીકરો વિદેશમાં સારી કમાણી કરીને પરિવારનું આર્થિક પાસુ મજબૂત કરશે તેવી આશા રાખી હતી,પરંતુ ઘટનામાં છેતરાયા બાદ માતા-પિતાને ખૂબ જ દુઃખ થયું હતું.બેંગ્લોર ગયેલા યુવાનો કયા મોઢે ઘરે પરત આવે તે વિચારતા હતા,પરંતુ માતા-પિતાની સમજાવટથી યુવાનો જૂનાગઢ પરત આવ્યા હતા,અને ઓફિસે જોયું તો ત્યાં તાળા મારી આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.