-
ગુજરાતમાં સારા વરસાદનો વરતારો
-
વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા કરાઈ આગાહી
-
50થી વધુ અગાહીકારોએ કરી છે આગાહી
-
વાદળોના બંધાતા ગર્ભ અવલોકન પરથી કરાય છે આગાહી
-
વરસાદથી સોળ આના જેવું વર્ષ રહેવાની સંભાવના
જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે તેવો વરતારો કરવામાં આવ્યો છે.50થી પણ વધારે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે કે 16 આની જેવું વર્ષ જશે અને 100 ટકા કરતા પણ વધુ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ અંતર્ગત રાજ્યભરમાંથી 50 થી પણ વધારે આગાહીકારો આવી પહોંચ્યા હતા.અને ભડલી વાક્યો તેમજ પશુ પક્ષીઓના અવાજ આકાશમાં વાદળોનો બંધાતો ગર્ભ સહિતના અલગ અલગ પ્રકારે કરવામાં આવતા અવલોકન ઉપર આગામી વર્ષ કેવું રહેશે તેવું પૂર્વમાં બાંધવામાં આવતું હોય છે. જેમાં મોટાભાગના આગાહીકારો દ્વારા આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે.100 ટકા કરતા પણ વધુ વરસાદ પડશે અને ખેડૂતને તેનાથી ખૂબ જ ફાયદો થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે,એટલે કે 16 આની વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
જૂનના પ્રથમ સપ્તાહમાં ખેડૂતો વાવણી કરી શકે તેઓ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.ઉપરાંત જુલાઈ મહિનાના અંત સુધીમાં ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ચોમાસુ આ વર્ષે ખૂબ જ લાંબુ ચાલશે અને સીઝન દરમિયાન બે વાવાઝોડાની પણ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે.ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વાવાઝોડું આવી શકે તેવી શક્યતા દર્શાવી છે.ઉપરાંત ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં વિધિવત રીતે ચોમાસુ વિદાય લેશે તેમ જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં જુના પ્રથમ સપ્તાહમાં જ વરસાદ ધોધમાર પાડવાની સંભાવના છે.ઓરિસ્સા, આંધ્રપ્રદેશ કેરળ,તામિલનાડુ,કર્ણાટક,મહારાષ્