જુનાગઢ : PMJAY યોજના હેઠળ 65 હોસ્પિટલને સરકારે રૂ. 40 કરોડ ચુકવ્યા

સરકારની PMJAY યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલના કુલ 17,512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.

New Update
  • સરકારની PMJAY યોજના હેઠળ દર્દીઓને મળતો લાભ

  • 65 હોસ્પિટલના કુલ 17,512 દર્દીઓના કેસનો મામલો

  • સરકાર દ્વારા રૂ. 40 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી

  • 122 દિવસમાં સરકારે રૂ. 33 લાખથી વધુની રકમ ચુકવી

  • યોજનામાં ભ્રષ્ટાચારનો જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ

સરકારની PMJAY યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલના કુલ 17,512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે. જોકે122 દિવસમાં સરકારે રોજના રૂ. 33 લાખથી વધુની રકમ ચુકવવી પડી રહી હોવાનો જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે.

તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે ઓપરેશન કરી સરકારની PMJAY યોજનામાંથી નાણા લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને બીમારી વેળા ઓપરેશન કરવાની જરૂર પડે તો તે ખર્ચ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. જેમાં જુનાગઢ જિલ્લામાં 26 ખાનગી હોસ્પિટલ અને ટ્રસ્ટ સંચાલિત 4 હોસ્પિટલ તેમજ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ 65 હોસ્પિટલનો PMJAY યોજના હેઠળ સમાવેશ થયો છે. જુનાગઢ જિલ્લાની ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત અને સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 17,512 કેસની રૂ. 40 .73 કરોડની રકમના બિલ મુકવામાં આવ્યા હતા. જેમાંથી 14,260 કેસની રૂ. 32.49 કરોડ રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી છે.

જોકેસરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છેઅનેક લોકોને તેનો લાભ મળી રહ્યો છે. પરંતુ જે રકમ બિલ ચૂકવવામાં આવ્યા છે. તે આ યોજનાનો દૂર ઉપયોગ અંગેની શંકા ઉપજાવે તેવા છે. જેમાં 637 કેસનું રૂ. 1.46 કરોડનું પેમેન્ટ તૈયાર છેજ્યારે 2,351 કેસનું રૂ. 6.18 કરોડની રકમના પેમેન્ટની કાર્યવાહી ચાલુ છે. તો બીજી તરફ62 હોસ્પિટલમાં રૂ. 22.64 લાખની રકમના બિલનું પ્રોસેસિંગ પેન્ડિંગ છે. આ સિવાય હોસ્પિટલ દ્વારા જે ક્લેઇમ મુકવામાં આવ્યા હતાતેમાંથી રૂ. 36.15 લાખની રકમ અને 202 કેસને રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત જુનાગઢ જિલ્લાની 3 કેન્સર હોસ્પિટલમાં રૂ. 14.55 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. આ ત્રણેય હોસ્પિટલમાં કુલ 7806 કેસની નોંધણીમાં જ રૂ. 14.95 કરોડની ક્લેઇમ રકમ ચૂકવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેજુનાગઢ જેવા નાના જિલ્લામાં PMJAY યોજના હેઠળ રૂ. 40 કરોડની રકમના બિલ મુકવામાં આવ્યા છે. જોકે122 દિવસમાં સરકારે રોજના રૂ. 33 લાખથી વધુની રકમ ચુકવવી પડી રહી હોવાનો જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે.