જુનાગઢ : ભારે વરસાદે મેંદરડા તાલુકામાં ખેતીપાકનો સોથ વાળી દીધો, સહાયની માંગ કરતાં ખેડૂતો...

છેલ્લા 2-3 દિવસ વરસેલા ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં ખેતીપાકનો સોથ વાળી દીધો છે. મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

New Update

શહેર તેમજ જીલ્લામાં વરસ્યો હતો ભારે વરસાદ

ભારે વરસાદના કારણે ખેતીપાકનો સોથ વળી ગયો

મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થયું

કપાસમગફળીઅડદના પાકમાં થયું મોટું નુકશાન

સરકાર દ્વારા સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ

છેલ્લા 2-3 દિવસ વરસેલા ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં ખેતીપાકનો સોથ વાળી દીધો છે. મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

આ દ્રશ્યો છેજુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના… જુનાગઢ જિલ્લામાં આસોમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બનવા પામી છે. ગત 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદ બાદ ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં મોટું નુકશાન થયું છે. મેંદરડા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીકપાસસોયાબીન અને અડદ જેવા વાવેતર કરેલ પાકમાં પ્રતિ વીઘા 6 હજારથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકેછેલ્લા 2 દિવસ પડેલા વરસાદે આર્થિક ઝટકો આપ્યો છે.

જોકે,પાછોતરા વરસાદથી "ગેરું ટીકા" નામનો રોગ મગફળીમાં જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રતિ વીઘા 10 હજારથી વધુનો ખર્ચ મગફળીના વાવેતરમાં કરવામાં આવ્યો છે. છેલ્લા 2-3 દિવસના વરસાદ બાદ ન માત્ર કપાસ અને મગફળીપરંતુ અડદનું વાવેતર કરનાર ખેડૂતોના હાલ પણ બેહાલ થયા છેત્યારે હવે સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને સત્વરે સહાય ચૂકવાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે