જુનાગઢ : બોથડ પદાર્થના આડેધડ ઘા’ મારી આધેડની હત્યા, અજાણ્યા શખ્સને દબોચી લેવા પોલીસની કવાયત...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update
  • કેશોદ તાલુકાના ચર ગામમાં બન્યો હત્યાનો બનાવ

  • વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સ દ્વારા કરાયો હુમલો

  • આધેડ ખેડૂતની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી

  • આધેડ ખેડૂતના મૃતદેહ પર અસંખ્ય ઘા જોવા મળ્યા

  • હત્યાના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારજુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામ ખાતે રહેતા આધેડ ખેડૂત ખીમાણંદ બોરખતરિયા મકાનની ઓસરીમાં સુતા હતાજ્યારે તેઓની પુત્રવધુ ઘરમાં એકલા સુતા હતાત્યારે અજાણ્યાં શખ્સે મકાનનું બારણાનું બહારથી બંધ કરી આધેડ પર હુમલો કર્યો હતો. અજાણ્યાં શખ્સે બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી. બનાવના પગલે ગ્રામજનો તોલે વળ્યા હતા. ત્યારબાદ 108 ઈમરજન્સી સેવા સહિત પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસમાં જોડાયો હતો. મૃતદેહ પર નાના મોટા અસંખ્ય ઘા જોવા મળ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફઆધેડની હત્યાથી તેઓનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Read the Next Article

ભરૂચ: પર્યાવરણ બચાવો પરંપરા જાળવોના સૂત્ર સાથે દંપત્તીની અનોખી પહેલ, શ્રીજીની માટીની પ્રતિમાઓનો કરે છે શણગાર

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલાએ પોતાના નાનકડા ઘરેથી એક મોટુ પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો

New Update
  • ગણેશ મહોત્સવની તૈયારીઓ

  • ભરૂચના દંપત્તીની અનોખી પહેલ

  • માટીની શ્રીજીની પ્રતિમાઓનો કરે છે શણગાર

  • પર્યાવરણ બચાવો- પરંપરા જાળવોનું સૂત્ર

  • પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાનો ઉપયોગ ટાળવા અનુરોધ

આવનારા દિવસોમાં દુંદાળા દેવા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચનું દંપત્તી પર્યાવરણ બચાવો,પરંપરા જાળવોના સૂત્ર સાથે શ્રીજીની માટીની પ્રતિમાઓ કલાત્મક રીતે શણગારવાનું કાર્ય કરી રહ્યા છે.
ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલાએ પોતાના નાનકડા ઘરેથી એક મોટુ પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો છે. ઘરમાં પગ મૂકતાં જ માટીની સુગંધ ભભુકે છે અને આંખે પડે છે  શ્રદ્ધાથી શણગારેલી માટીના ગણેશજીની મૂર્તિઓ – જે માત્ર શણગાર નથી પરંતુ એક સંદેશ વહન કરે છે.ગણેશ વિસર્જન બાદ નદીઓમાં ભંગાતી POPની મૂર્તિઓના દ્રશ્યો આસ્થાને ઠેસ પહોંચાડે છે ત્યારે  દંપતીએ મુંબઈથી ખાસ માટીની ગણેશમૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું.
આ મૂર્તિઓને ઘરમાં જ કલાત્મક રીતે શણગારી અને વેંચવાની એક અનોખી પહેલ કરી.આજે એમનું ઘર નાનકડા શો રૂમમાં બદલાઈ ગયું છે, જ્યાં ભવ્ય શણગાર, શાંતિપૂર્ણ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીને આકર્ષે છે.પર્યાવરણ બચાવો, પરંપરા જાળવો એમનું સૂત્ર છે. માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી.