જુનાગઢ : સિંહો હવે, માનવ વસાહત તરફ વળતાં સ્થાનિકોમાં ભય, વન વિભાગ પણ થયું સતર્ક..!

જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

New Update
  • જંગલ વિસ્તારમાં રહેતા સિંહો માનવ વસાહત તરફ વળ્યા

  • પશુ અને માનવ પર સિંહાના હુમલાની ઘટનામાં પણ વધારો

  • સોસાયટીમાં સિંહોએ ગાયનું મારણ કરતાં સ્થાનિકોમાં ભય

  • સિંહો માનવ વસાહત તરફ ન આવે દિશામાં કામગીરી જરૂરી

  • પંથકમાં સિંહોની અવરજવર વધતાં વન વિભાગ સતર્ક થયું

જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છેત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

ગીર પંથકમાં વન્યપ્રાણીનો આતંક હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. કેટલાક રહેણાંક વિસ્તારો અને સીમ વિસ્તારમાં પશુ અને માનવ પર હુમલાની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં તાજેતરમાં અમરેલી પંથકમાં પણ સિંહના હુમલામાં 2 લોકો ઘવાયા હતા. તો બીજી તરફજુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં 3 સિંહોએ આવી ગાયનું મારણ કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જેમાં સિંહો માનવ વસાહત તરફ આવી ન ચડે તે દિશામાં કામગીરી કરાય તે અંગે વન વિભાગને રજૂઆત કરી હતી.

સમગ્ર મામલે જુનાગઢ વન વિભાગના અધિકારી કે. રમેશે જણાવ્યું હતું કેહાલ જે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છેતેમાં એક માદા સિંહણે ત્રણેક વર્ષ પહેલાં 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. જે સિંહબાળ હવે મોટા થયા છે. જેમ જેમ માનવ વસ્તી વધે છેતેમ સિંહોની વસ્તી પણ વધતી જાય છેતેમજ રખડતાં પશુઓના કારણે પણ સિંહો માનવ વસાહત તરફ આવવા લાગ્યા છેજ્યાં જ્યાં લાઈટો નથીત્યાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતને સ્ટ્રીટ લાઈટો મુકવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ માનવને સિંહે નુકશાન કર્યું નથી. આ મુદ્દે વન વિભાગ સતત કાર્યરત છેજે સિંહો માનવ વસાહત તરફ ન આવે તેવા પ્રયાસો કરી રહ્યું છે.

Read the Next Article

મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર કરી એન્ટ્રી, હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં 25 જુને જો વધુ સિસ્ટમન એક્ટિવ થશે તો ફરી  25 બાદ પણ ગુજરાતમાં વરસાદ અવિરત રહેશે. હાલ ઓફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્ય છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  

હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને  22થી 25 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે . પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે. તાપી, નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાને જોતા  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Latest Stories