જુનાગઢ : ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કૌભાંડ, AAP નેતા ગોપાલ ઇટાલિયાએ સહકારી બેંકમાં આવેદન આપ્યું...

સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

New Update
  • સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ-ભ્રષ્ટાચારનો આક્ષેપ

  • 400થી વધુ ખેડૂતોએ જિલ્લા સહકારી બેંકમાં રજૂઆત કરી

  • AAP પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા રહ્યા વિશેષ ઉપસ્થિત

  • ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કરાયું : ઇટાલિયા

  • ખેડૂતો પાસે ઉઘરાણા બંધ કરી ધિરાણ આપવાની રજૂઆત

સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

જુનાગઢ જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા ભેસાણ તાલુકાના અલગ અલગ ખેડૂતોને નોટીસ આપવામાં આવી છે. ભેસાણ તાલુકાના છોડવડી અને વાંદરવડ જેવા ગામમાં મંડળીઓ દ્વારા ખેડૂતોની જાણ બહાર લાખો રૂપિયાનું ધિરાણ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું હતુંઅને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા મંડળીના પ્રમુખ તેમજ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

જોકેખેડૂતોએ ધિરાણ લીધું નથી. તેમ છતાં ખેડૂતોને નોટિસ આપવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા ખેડૂતો સાથે જિલ્લા સેવા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતાજ્યાં ખેડૂતોની ઉગ્ર રજૂઆતો બેંકના મેનેજર તેમજ જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડી હતી. આ સાથે જ ખેડૂતોને આપવામાં આવતી નોટિસ અને ઉઘરાણા બંધ કરી ધિરાણ આપવા માટેની રજૂઆત કરી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.