જુનાગઢ : વિદેશમાં મગફળીની ઓછી માંગ થતાં ઉદ્યોગોને માઠી અસર, વેપારીઓના લલાટે ચિંતાની લકીર...

દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો સીંગદાણાના ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવે છે,

New Update
  • દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો ઉદ્યોગ

  • સોરઠ પંથકમાં અનેક કારખાનેદારોનો રહ્યો મુખ્ય ઉદ્યોગ

  • હાલ મગફળીના દાણાની વિદેશમાં રહી છે ઓછી માંગ

  • પંથકના બજારમાં પણ જોવા મળ્યો છે મંદીનો માહોલ

  • સીંગદાણા ઉદ્યોગ માટે સરકારે વિચારવું જોઈએ : વેપારી

દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો સીંગદાણાના ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવે છેત્યારે હાલ મગફળીના દાણાની વિદેશમાં ઓછી માંગ હોવાથી જુનાગઢ પંથકના બજારોમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

જુનાગઢમાં 180થી વધુ અને કેશોદમાં 120 જેટલા સીંગદાણાના કારખાના કાર્યરત છેજેમાંથી 80 ટકા જેટલા કારખાના બંધ પડેલી હાલતમાં છેઅને બાકીના અમુક કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આ વખતે મગફળી એક ખાંડી એટલે કે20 મણના કારખાને પહોંચતા 22,500 જેટલો ભાવ થાય છે. આ ભાવે મગફળી ખરીદી કરી દાણા તૈયાર કરવામાં આવે છેજેનો ખર્ચ હિસાબ કરવામાં આવે તો 84થી 86 રૂપિયા પ્રતિ કિલો મગફળીના ભાવ પડે છેજ્યારે બજારમાં દાણા 78થી 82 રૂપિયા ભાવ છે. જો વેપારી મગફળીમાંથી દાણો તૈયાર કરે તો તેને કિલોના 4થી 6 રૂપિયા જેટલી નુકશાની થાય છે.

વિદેશમાં જ્યારે સીંગદાણાના સારી એવી ઘરાકી નીકળશે તો ફરી દાણાના ભાવમાં ઉછાળો આવે તો કારખાના ધમધમતો થાય તેમ વેપારીઓનું માનવું છે. દાણાનો સ્ટોક થતો જાય તો પૈસાનું પણ ખૂબ મોટું રોકાણ વધી જાય છે. રોકડ બાદ પણ દાણાની બજારમાં સુધારો ન આવે તો વેપારીઓને પણ ખૂબ જ નુકશાન જાય તેવી શક્યતા છેજેથી વેપારીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેતા નથી. ગત વર્ષે પણ મગફળીના ઓછા ભાવ રહ્યા હતાઅને તેમાં પણ વેપારીઓની આશા મુજબ ઉછાળો ન આવતા મગફળીનો સંગ્રહ કરતા વેપારીઓને તેજીની આશાએ મોટી નુકશાની થઈ હતી. આ વખતે પણ જો આવી પરિસ્થિતિ રહેશે તો વધુ નુકશાન થવાની શક્યતા છે.

જુનાગઢ જિલ્લાની 3.28 લાખ હેક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 1.92 લાખ હેક્ટરમાં તેમજ ગીર સોમનાથ જિલ્લાની 1.48 લાખ હેક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 78,000 હેક્ટર જમીનમાં અને પોરબંદર એક પણ 10 લાખ હેક્ટર જમીનમાંથી 75000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છેત્યારે પૂરતા મગફળીના ભાવ ન મળતા ખેડૂતને તે નુકશાની થાય છે. પરંતુ સીંગદાણાના કારખાનેદારોને પણ નુકશાનીનો ભોગ બનવું પડે છે. ઉપરાંત અન્ય રાજ્યના સિંગદાણાના વેપારીઓGST વગરનો માલ આપતા હોવાથી મોટાભાગના ગ્રાહકો તેમની તરફ ફંટાયા છેઅને સૌરાષ્ટ્રના સિંગદાણાના મોટા ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેજો આ ઉદ્યોગને બચાવવો હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સીંગદાણા ઉદ્યોગ માટે વિચારવું જોઈએઅને તેની બાય પ્રોડક્ટ જેટલી છેતેમાં જેGST ચાર્જ વસૂલવામાં આવે છેતે અંગે પણ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.