જુનાગઢ : વિદેશમાં મગફળીની ઓછી માંગ થતાં ઉદ્યોગોને માઠી અસર, વેપારીઓના લલાટે ચિંતાની લકીર...

દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો સીંગદાણાના ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવે છે,

New Update
Advertisment
  • દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો ઉદ્યોગ

  • સોરઠ પંથકમાં અનેક કારખાનેદારોનો રહ્યો મુખ્ય ઉદ્યોગ

  • હાલ મગફળીના દાણાની વિદેશમાં રહી છે ઓછી માંગ

  • પંથકના બજારમાં પણ જોવા મળ્યો છે મંદીનો માહોલ

  • સીંગદાણા ઉદ્યોગ માટે સરકારે વિચારવું જોઈએ : વેપારી

Advertisment

દેશનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સીંગદાણાનો કહી શકાય અને સોરઠ પંથકમાં અનેક કારખાનેદારો સીંગદાણાના ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવે છેત્યારે હાલ મગફળીના દાણાની વિદેશમાં ઓછી માંગ હોવાથી જુનાગઢ પંથકના બજારોમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

જુનાગઢમાં 180થી વધુ અને કેશોદમાં 120 જેટલા સીંગદાણાના કારખાના કાર્યરત છેજેમાંથી 80 ટકા જેટલા કારખાના બંધ પડેલી હાલતમાં છેઅને બાકીના અમુક કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આ વખતે મગફળી એક ખાંડી એટલે કે20 મણના કારખાને પહોંચતા 22,500 જેટલો ભાવ થાય છે. આ ભાવે મગફળી ખરીદી કરી દાણા તૈયાર કરવામાં આવે છેજેનો ખર્ચ હિસાબ કરવામાં આવે તો 84થી 86 રૂપિયા પ્રતિ કિલો મગફળીના ભાવ પડે છેજ્યારે બજારમાં દાણા 78થી 82 રૂપિયા ભાવ છે. જો વેપારી મગફળીમાંથી દાણો તૈયાર કરે તો તેને કિલોના 4થી 6 રૂપિયા જેટલી નુકશાની થાય છે.

વિદેશમાં જ્યારે સીંગદાણાના સારી એવી ઘરાકી નીકળશે તો ફરી દાણાના ભાવમાં ઉછાળો આવે તો કારખાના ધમધમતો થાય તેમ વેપારીઓનું માનવું છે. દાણાનો સ્ટોક થતો જાય તો પૈસાનું પણ ખૂબ મોટું રોકાણ વધી જાય છે. રોકડ બાદ પણ દાણાની બજારમાં સુધારો ન આવે તો વેપારીઓને પણ ખૂબ જ નુકશાન જાય તેવી શક્યતા છેજેથી વેપારીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેતા નથી. ગત વર્ષે પણ મગફળીના ઓછા ભાવ રહ્યા હતાઅને તેમાં પણ વેપારીઓની આશા મુજબ ઉછાળો ન આવતા મગફળીનો સંગ્રહ કરતા વેપારીઓને તેજીની આશાએ મોટી નુકશાની થઈ હતી. આ વખતે પણ જો આવી પરિસ્થિતિ રહેશે તો વધુ નુકશાન થવાની શક્યતા છે.

જુનાગઢ જિલ્લાની 3.28 લાખ હેક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 1.92 લાખ હેક્ટરમાં તેમજ ગીર સોમનાથ જિલ્લાની 1.48 લાખ હેક્ટર વાવેતર લાઇક જમીનમાંથી 78,000 હેક્ટર જમીનમાં અને પોરબંદર એક પણ 10 લાખ હેક્ટર જમીનમાંથી 75000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છેત્યારે પૂરતા મગફળીના ભાવ ન મળતા ખેડૂતને તે નુકશાની થાય છે. પરંતુ સીંગદાણાના કારખાનેદારોને પણ નુકશાનીનો ભોગ બનવું પડે છે. ઉપરાંત અન્ય રાજ્યના સિંગદાણાના વેપારીઓ GST વગરનો માલ આપતા હોવાથી મોટાભાગના ગ્રાહકો તેમની તરફ ફંટાયા છેઅને સૌરાષ્ટ્રના સિંગદાણાના મોટા ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેજો આ ઉદ્યોગને બચાવવો હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સીંગદાણા ઉદ્યોગ માટે વિચારવું જોઈએઅને તેની બાય પ્રોડક્ટ જેટલી છેતેમાં જે GST ચાર્જ વસૂલવામાં આવે છેતે અંગે પણ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

Latest Stories