જુનાગઢ : લગ્નની લાલચ આપી યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસના ચોપડે ચડ્યો...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update
  • કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ચકચારી ઘટના

  • નરાધમે લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

  • દુષ્કર્મ બાદ યુવતીના ચારિત્ર્ય પર શંકા કરી તરછોડી

  • શે૨ગઢના નરાધમ યુવક વિરુદ્ધ પોલીસે ગુન્હોં નોંધ્યો

Advertisment

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમશાળા ખાતે નોકરીએ જતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. મળતી માહિતી અનુસારયુવતી સાથે દુષ્કર્મ થયું તે પહેલાં ફરિયાદી અને યુવતી બન્ને લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતાં હતાંત્યારે બન્નેની એકબીજા સાથે મુલાકાત થઈ હતી. આરોપીએ ફરિયાદી યુવતીને સગાઈ અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીંદુષ્કર્મ બાદ યુવતીના ચારિત્ર્ય પર શંકા કરી તરછોડી દઈ લગ્ન નહીં કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતોત્યારે શે૨ગઢ ગામે રહેતા નરાધમ યુવક અજિત ડાંગર વિરૂદ્ધ પોલીસે દુષ્કર્મનો ગુન્હોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment