જૂનાગઢ: 35 સરપંચોના સામુહિક રાજીનામાથી ખળભળાટ,વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો?

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાણાકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update

જૂનાગઢમાં 35 સરપંચના રાજીનામાથી ખળભળાટ 

જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે નારાજગી

નાણાકીય અને વહીવટી બાબતો અંગે સરપંચોમાં રોષ

તંત્રની અણઆવડતથી ગામોમાં કામો ખોરંભે ચઢયા

રાજીનામા સામે શું કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાણાકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,અને જેના પરિણામે 35 સરપંચોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો.
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અણઆવડતના કારણોસર તાલુકાના ગામોના સરપંચોમાં ભારે અવિશ્વાસ ઉભો થયો છે,જેના કારણે રાજ્યના તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.નારાજ સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાણાંકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાનું જણાવી રહ્યા છે.જેના કારણોસર સ્થાનિકોના જાહેર હિતને ધ્યાનમાં રાખી સંપૂર્ણ નારાજગીથી જુનાગઢ તાલુકાના તમામ ગામોમાં કામો ખોરંભે ચઢ્યા છે. જુનાગઢ તાલુકાના તમામ સરપંચોએ હોદ્દા પરથી રાજીનામા ધરી દેતા હાલ ચકચાર મચી જવા પામી છે.  જૂનાગઢ તાલુકા સરપંચ યુનિયનને રજુઆત કરી સરપંચ પદેથી રાજીનામા મંજૂર કરવા રજૂઆત કરી હતી.આ મુદ્દે તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા રજુઆત કરાઈ હતી અને હાલ 35 જેટલા સરપંચોએ રાજીનામા આપ્યા હતા,હવે વહીવટી તંત્ર સરપંચો દ્વારા આપવામાં આવેલા રાજીનામા સામે શું કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું.


Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.