જૂનાગઢ : શોભાવડલાના આશ્રમમાં સગીરનો ખૂનીખેલ,મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરી બંને લાશ ઘરમાં જ દાટી દીધી

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે.

New Update
kildd

ગુજરાતના નાનકડા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા નાનાભાઈની અટકાયત કરીને આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે. આ ખોડીયાર આશ્રમની અંદર રહેતા પરિવારમાં માતામૃતક મોટો પુત્ર શિવમગીરી,તેની મૃતક પત્ની કંચન કુમારી અને એક સગીર દીકરો હતા.મોટો દીકરો શિવમ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. જ્યારે સગીર દીકરો આશ્રમનું અને ગૌશાળાનું કામ સંભાળતો હતો. દારૂની લત ધરાવતો સગીર દીકરો અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. આ જ ઝઘડાએ એક દિવસ ખૂની ખેલ રચ્યો.

ખોડીયાર આશ્રમમાં અંદાજે બાર દિવસ પહેલાજ્યારે માતા વિભાબેન બહાર ગયા હતા ત્યારે સવારના સમયે જ્યારે શિવમ સૂતો હતો ત્યારે સગીર ભાઈએ તેના માથામાં લોખંડનો પાઇપ મારી તેની હત્યા કરી નાંખી હતી. આ સમગ્ર ઘટના સગીરની ભાભી જોઈ જતા ભાભી કોઈને કહી જશે તેવા ડરથી તેની ભાભીની પણ કરપીણ હત્યા કરી હતી.અને સગીરે ભાઈ ભાભીના મૃતદેહને આશ્રમ નજીક જ એક વાડામાં ઊંડો ખાડો કરી દાટી દીધા હતા.

ગુનાને અંજામ આપ્યાના લગભગ 6 દિવસ પછીએટલે કે 21 ઓક્ટોબરેહત્યારા સગીર અને તેની માતાએ મૃતક પુત્રવધૂના પિતાને ફોન કર્યો હતો. તેને જુઠ્ઠું કહ્યું કે, "તમારા દીકરી-જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને બંને મૃત્યુ પામ્યા છે. અકસ્માત ગંભીર હોવાથી અમે તેમની દફનવિધિ પણ કરી દીધી છે." પરંતુઆ વાત મૃતક મહિલાના પરિવારજનોના ગળે ન ઉતરી. મૃતક કંચન કુમારીના ભાઈ લલન કુમારે જણાવ્યું કેઅમે અકસ્માતના ફોટા માંગ્યાત્યારે તેઓ આડા અવળી વાતો કરવા લાગ્યા અને અન્ય અકસ્માતના ફોટા મોકલ્યાજેનાથી અમને શંકા ગઈ હતી. આ શંકાને આધારે લલન કુમારે તેના બીજા બનેવી સાથે મળીને વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ ગુમ થયેલા દંપતીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

કંચન કુમારીના પરિવારે વિસાવદર પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા ગુમસુદાની નોંધ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસનો દોર સીધો ખોડીયાર આશ્રમ ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં આખરે સગીર આરોપી ભાંગી પડ્યો અને તેણે હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો.

વિસાવદરના ASP રોહિત ડાંગરપ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સગીર આરોપીને સાથે રાખી ઘટનાસ્થળ પર ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દ્રશ્યો ભલભલાના રૂંવાડા ઉભા કરી દે તેવા હતા. પોલીસે રૂમમાં ખોદકામ કરી દટાયેલા દંપતી શિવમગીરી અને કંચન કુમારીના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતક મહિલા સાત મહિનાના ગર્ભવતી હોવાથીદંપતી અને એક શિશુ સહિત ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.

ASP રોહિત ડાંગરે જણાવ્યું કે,ગુમ થયેલા દંપતીના મૃતદેહો તેમના જ ઘરમાંથી દટાયેલા મળી આવ્યા છે.મૃતક મહિલાને છ મહિનાનું ભ્રૂણ પણ મૃત હાલતમાં હતું. પોલીસે કોહવાયેલી હાલતમાં કઢાયેલા દંપતીના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે. તેમજ પોલીસે હાલ સગીર આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories