જૂનાગઢ: રેલવે ફાટકની સમસ્યાને લઈને સાંસદ અને ધારાસભ્ય દ્વારા રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

જૂનાગઢના પ્રાણ પ્રશ્ન  રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

New Update
  • કેન્દ્રીય રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

  • સાંસદ,ધારાસભ્યએ રેલવે મંત્રીને કરી રજૂઆત

  • રેલવેના વિવિધ પ્રશ્નોનું આવશે નિરાકરણ

  • કેન્દ્રીય રેલવે મંત્રીએ અધિકારીઓને કર્યું જરૂરી સૂચન

  • રેલવે પ્રશ્નોનું નિરાકરણ આવશે,લોકોને બંધાય આશા

જૂનાગઢના પ્રાણ પ્રશ્ન  રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા રેલવે લાઈન દૂર કરવા માટે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી.રેલવે લાઇનને પિલ્લર ઉપર બનાવવામાં આવે તે માટેના પ્રોજેક્ટ અંગે તેમજ ગાંધીગ્રામમાં નવું રેલવે સ્ટેશન બનાવવા માટે જણાવવામાં આવ્યું છે.અને રેલવેની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથને વંદે ભારતની ટ્રેનનો લાભ મળે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. અને લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને રજૂઆત કરતા રેલવે મંત્રી દ્વારા જુનાગઢના રેલવેના પ્રશ્નોને લઈને અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી.જેના પરિણામે આગામી સમયમાં રેલવેને લગતી સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવો આશાવાદ લોકો વ્યક્ત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ

New Update
yellq

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.