જૂનાગઢ: રેલવે ફાટકની સમસ્યાને લઈને સાંસદ અને ધારાસભ્ય દ્વારા રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

જૂનાગઢના પ્રાણ પ્રશ્ન  રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

New Update
  • કેન્દ્રીય રેલવે મંત્રીને કરાઈ રજૂઆત

  • સાંસદ,ધારાસભ્યએ રેલવે મંત્રીને કરી રજૂઆત

  • રેલવેના વિવિધ પ્રશ્નોનું આવશે નિરાકરણ

  • કેન્દ્રીય રેલવે મંત્રીએ અધિકારીઓને કર્યું જરૂરી સૂચન

  • રેલવે પ્રશ્નોનું નિરાકરણ આવશે,લોકોને બંધાય આશા

Advertisment

જૂનાગઢના પ્રાણ પ્રશ્ન  રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા રેલવે લાઈન દૂર કરવા માટે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી.રેલવે લાઇનને પિલ્લર ઉપર બનાવવામાં આવે તે માટેના પ્રોજેક્ટ અંગે તેમજ ગાંધીગ્રામમાં નવું રેલવે સ્ટેશન બનાવવા માટે જણાવવામાં આવ્યું છે.અને રેલવેની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથને વંદે ભારતની ટ્રેનનો લાભ મળે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. અને લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને રજૂઆત કરતા રેલવે મંત્રી દ્વારા જુનાગઢના રેલવેના પ્રશ્નોને લઈને અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી.જેના પરિણામે આગામી સમયમાં રેલવેને લગતી સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવો આશાવાદ લોકો વ્યક્ત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment