-
મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગની કાર્યવાહી
-
મિલકત વેરો નહીં ભરનાર આસામીઓ સામે લાલ આંખ
-
મનપા કમિશ્નરની સૂચનાથી 317 મિલકતોને સીલ કરાય
-
કેટલીક સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી
-
મનપાની કાર્યવાહીથી વેરો નહીં ભરનાર લોકોમાં ફફડાટ
કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે, તેવી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે.
જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ લાંબો સમય વિતવા છતાં ઘરવેરાની રકમ ભરી ન હતી, ત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ કરવા કમિશનર ડો. ઓમ પ્રકાશની સૂચનાથી જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી 317 મિલકતોને સીલ કરવામાં આવી છે, તેમજ 53 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. ઉપરાંત 76 એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરાતી નથી તેવી મિલકતોને માટે ટૂંક સમયમાં NOC વગર વહેચાશે નહીં તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જુનાગઢની સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે, જેનો કરોડો રૂપિયાનો વેરો હજી સુધી ભરવામાં નથી આવ્યો. આ તમામ વેરા વસૂલાત માટે જુનાગઢ મહાનગરપાલિકાનો હાઉસ ટેક્સ વિભાગ સક્રિય બન્યો છે.