જુનાગઢ : મિલકત વેરો નહીં ભરનાર આસામીઓ સામે મનપાની લાલ આંખ, 317 મિલકતોને ટાંચમાં લીધી...

કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે, તેવી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે.

New Update
  • મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગની કાર્યવાહી

  • મિલકત વેરો નહીં ભરનાર આસામીઓ સામે લાલ આંખ

  • મનપા કમિશ્નરની સૂચનાથી 317 મિલકતોને સીલ કરાય

  • કેટલીક સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી

  • મનપાની કાર્યવાહીથી વેરો નહીં ભરનાર લોકોમાં ફફડાટ

કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છેતેવી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે.

જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ લાંબો સમય વિતવા છતાં ઘરવેરાની રકમ ભરી ન હતીત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ કરવા કમિશનર ડો. ઓમ પ્રકાશની સૂચનાથી જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી 317 મિલકતોને સીલ કરવામાં આવી છેતેમજ 53 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. ઉપરાંત 76 એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરાતી નથી તેવી મિલકતોને માટે ટૂંક સમયમાં NOC વગર વહેચાશે નહીં તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જુનાગઢની સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છેજેનો કરોડો રૂપિયાનો વેરો હજી સુધી ભરવામાં નથી આવ્યો. આ તમામ વેરા વસૂલાત માટે જુનાગઢ મહાનગરપાલિકાનો હાઉસ ટેક્સ વિભાગ સક્રિય બન્યો છે.

Latest Stories
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.
Latest Stories