/connect-gujarat/media/post_banners/0c5a1fd952065e161fce3925f740f4daa119a14a1539223620e1cebcda9f537c.jpg)
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ કામમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાનાં ગામ લોકોનો આક્ષેપો
વચ્ચે કોઝ-વેના કામમાં પથ્થરો નાખીને ભરાઈ થતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જે વિડીયોમાં જોતા ઉચ્ચ કક્ષાએથી તપાસની ટીમ આવતાં આ કોઝ-વેને તોડીને ફરીથી બનાવવા સૂચના અપાઇ હતી. જોકે, ભ્રષ્ટાચાર કરતી કોન્ટ્રાક્ટ પેઢીને બ્લેક લિસ્ટમાં મુકવા લોકમાંગ ઉઠી છે. સ્થાનિક અધિકારીઓને આ બાબતે ભનક પણ ન હતી કે, પછી અધિકારીઓની પણ મીલીભગત હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જેથી આવા અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.